________________
૧૦૪
હેમચદ્રાચાય
જીવનમાં હેમચંદ્રાચાર્યે વણ્યા અને તેના પિરણામૈ કુમારપાલે અમારિ ઘેષણા કરી.
કુમારપાલની આ અમારિાષણાને જૈનદન સાથે ઘણા તાત્ત્વિક સંબ`ધ છે; કુમારપાલની જૈનદન પ્રત્યેની અભિરુચિને એ સખળ પુરાવા છે. પણુ, ડૉ. મુલર એ ઉપરથી તારવવા મથે છે તેમ, હેમચંદ્રાચાર્ય' જાણે ઘણી ઘણી સંભાળપૂર્વક ને સાવધાનતાથી કુમારપાલને આ સ્થિતિ એ લાવવા માટે તૈયારી કરી હાય, અને જાણે કે આ એક કાર્ય કુમારપાલને પરમાર્હ ત બનાવવાનું — ની પાછળ એણે ઘણા કુનેહભરેલા પરિશ્રમ લીધા હાય, અને પોતે એ માટે અહુ સાવધાનતાથી રાજાને ધર્મ છોડાવવા પ્રવૃત્ત થયા હોય, એવું એવું માનવાને કાંઈ કારણ નથી. પહેલું તેા, કુમાર. પાલ એવી અવસ્થામાં હતા કે સાધારણ રીતે એનું જીવન નિવૃત્તિમાર્ગ તરફ વળ્યું હતું. ખીજું, ઉડ્ડયન, આમ્રભટ્ટ, વાગ્ભટ વગેરે મંત્રીએ, જે એના પક્ષકાર રહ્યા હતા, તે જૈન હતા. ત્રીજુ, હેમચંદ્રાચાર્યના પેાતાના ઉપકાર એના ઉપર આછા ન હતા. ચાક્ષુ', અમારિઘેષણા એ એના યેાગાભ્યાસી સ્વભાવને અનુકૂળ તત્ત્વ હતું. પાંચમું, એ પોતે એટલાં દુઃખ વેઠીને રાજા થયા હતા કે ખીજાનું દુઃખ સમજવું એને માટે સહેજ હતું. એટલે, મેહપરાજય’નાટકમાં ‘ દર્શાવ્યું છે તેમ, · કૃપાસુંદરીને કુમારપાલ સાથે હેમચ'દ્રાચાયે પરણાવી’. એ રૂપકના તત્ત્વાર્થ આ, કે કુમારપાલે ગુજરાતની પ્રજાને મદિરા, મદ્ય, માંસ, ચારી અને અસત્યના ત્યાગરૂપ સઘળાં જ પ્રજાકીય તંદુરસ્તી માટેનાં કલ્યાણુકારક પગલાં એક પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org