________________
[૪૮]
જૈન દર્શન મીમાંસા ગુણ જાણ્યા પછી તે વૃક્ષ જંગલમાં જોવામાં આવે તે વખતે “આ તે જ છે” એવું જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન. વ્યાપ્તિજ્ઞાન તે તર્ક કહેવાય છે. અમુક વસ્તુ વગર અમુક વસ્તુને સંભવ નથી તે વ્યાપ્તિ જેમકે “અગ્નિ વગર ધૂમ્ર હોય નહિ” “આત્મા વગર ચેતના હોઈ શકે નહિ” આ રીતે વ્યાપ્તિ જ્ઞાન તે તર્ક કહેવાય છે ધૂમ્ર ઉપરથી અગ્નિનું અનુમાન કરવું તે અનુમાન પ્રમાણ અને આમ વચનો વડે પદાર્થોને નિશ્ચય કરે તે આગમ પ્રમાણ. પ્રથમના ચાર મતિ જ્ઞાન વિષયાત્મક છે અને છેલ્લું શ્રુતજ્ઞાનજન્ય છે. આ બંને પ્રમાણો દ્વારા જે જે પદાર્થો ગ્રહણ કરાય તેમને એક ધર્મની મુખ્ય તાવડે જે અનુભવ કરાય તે નય કહેવાય છે. પ્રમાણુ અને નયને પરસ્પર સંબંધ પણ ઉપરોક્ત રીતિએ છે. સપ્તભંગી :
જૈન દર્શનમાં વસ્તુસિદ્ધિ સંપાદન કરવાને માટે સાત ભાગો દર્શાવેલા છે. તેનાં નામ આ પ્રમાણે છે. સ્થાત્ અસ્તિ, સ્માત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત અવક્તવ્ય, સ્થાત્ અસ્તિ અવક્તવ્ય, સ્યાત નાસ્તિ અવક્તવ્ય અને સ્યાત અસ્તિનાસ્તિ અવક્તવ્ય.
સ્યાત અસ્તિ-અસ્તિત્વની મુખ્યતા કરી નાસ્તિત્વની ગણતાનું સ્થાપન કરવું. જેમકે શરીરમાં આત્મા છે; તે સ્વશરીરની અપેક્ષાએ અસ્તિ છે.
સ્માત નાસ્તિ-નાસ્તિત્વની મુખ્યતા કરી અસ્તિત્વની ગૌણતાનું સ્થાપન કરવું તે પ્રથમ પદથી ઉલટી રીતે સમજવાનું છે જેમકે અન્યને આત્મા આ શરીરમાં નથી.
સ્યાત અતિ નાસ્તિ-પૂર્વોક્ત ઉભય ધર્મોનું એક જ વસ્તુમાં એક સાથે કથન કરવું તદ્રુપ છે. જેમકે એક ઘટ ઘટવરૂપે અસ્તિ છે અને પટવરૂપે નાસ્તિ છે.
સ્માત અવક્તવ્ય–વસ્તુના સંપૂર્ણ ગુણપર્યાયે વચનવડે કહેવા અશક્ય છે, જેમકે કથંચિત ઘટ અવક્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org