________________
દ્રવ્યાનુગ
[૪૭] વિચ્છેદ ગયા. હાલમાં દ્વાદશાર નયચક મોજુદ છે. તેમાં દરેક નયના બાર બાર ભેદ દર્શાવી ચેરાસી ભેદ સમગ્ર દર્શાવેલા છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય ગ્રહણ કરીને વસ્તુની બે ચક્ષુઓ વડે બંને બાજુઓ જેવી તેનું જ નામ જૈનદર્શનમાં “સ્યાવાદ” અથવા “અનેકાંતવાદ' કહેવાય છે. પરંતુ એકાક્ષીપણું કરવું તે એકાંત વાદ કહેવાય છે. હવે યુકિચિત પ્રમાણોનું સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રમાણુક્રય:
વસ્તુ સિદ્ધિ બે પ્રમાણુવડે થઈ શકે છે. પ્રત્યક્ષ અને પક્ષ. પ્રત્યક્ષના બે ભેદ છે-પારમાર્થિક પ્રત્યક્ષ અને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ. આત્મજ્ઞાનવડે જે જે પદાર્થો જણાય તે પારમાર્થિક પ્રત્યક્ષ અને ઇકિયાદિની સહાયતાથી જે જે વસ્તુઓનું જ્ઞાન થાય તે સાંવ્યાવહારિક પ્રત્યક્ષ. પારમાર્થિક પ્રત્યક્ષના પણ બે ભેદ છે–એક દેશપારમાર્થિક પ્રત્યક્ષ અને સર્વ દેશપારમાર્થિક પ્રત્યક્ષ. અવધિજ્ઞાન અને મનઃ પર્યાવજ્ઞાનવડે જે જે આત્મપ્રત્યક્ષ હોય તે પ્રથમ પ્રત્યક્ષ છે; કેવલજ્ઞાનવડે આત્મપ્રત્યક્ષ તે દ્વિતીય પ્રત્યક્ષ છે. સાંવ્યાવહારિક પ્રત્યક્ષ જે કે વ્યવહાર દષ્ટિએ પ્રત્યક્ષ કહેવાય છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ તે પક્ષ છે. કેમકે આ જ્ઞાનથી સ્પષ્ટ અને યથાર્થ જ્ઞાન થતું નથી. ચર્મચક્ષુવડે એક વસ્તુ દેખાતી હોય તે જ વસ્તુ પારમાર્થિક દૃષ્ટિએ જુદા જ પ્રકારની હેય છે. ચર્મચક્ષુવડે ખારની જમીન ઝાંઝવાના પાણું રૂપે લાગે છે, વસ્તુતઃ તે ખારની જમીન છે. એવી રીતે સાંવ્યવહારિક પ્રત્યક્ષ આત્મપ્રત્યક્ષ નહીં હોવાથી યથાર્થ અને ન્યાય હોઈ શકતું નથી.
ઇક્રિયજન્ય જ્ઞાનના વિષયથી પદાર્થને સ્પષ્ટપણે જાણે તે પક્ષ પ્રમાણ છે. મતિ અથવા શ્રુતજ્ઞાનથી જે જે જણાય છે તે સર્વ પક્ષ પ્રમાણ ગર્ભિત જ્ઞાન છે, તે પાંચ પ્રકારે છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ પૂર્વકાળમાં જે પદાર્થનું જ્ઞાન થયેલું હોય તેને પુનઃ સ્મરણગોચર કરવું તે સ્મૃતિ. પૂર્વકાળની હકીકતને સ્મરણ કરી તે મુજબ પદાર્થને નિશ્ચય કરવો; જેમ એક વૃક્ષના નામ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org