________________
[૧૨૬ ]
જૈન દર્શન મીમાંસા
ઉપરક્ત હેતુને અવલંબીને સમ્યકત્વ પ્રાપ્ત થયા પછીની જે સ્થિતિ ચતુર્થ અને પંચમ પદમાં દર્શાવી છે તે યથાર્થ છે. સમ્યક્ત્વવાન આત્માની સર્વ કરણી મુક્તિરૂપ સાધ્યને સન્મુખ રાખીને જ હોય છે. એ સમ્યગદર્શનરૂપ ગુણની પ્રાપ્તિ ટકવાને અમોઘ ઉપાય છે. દુનિયાના જે જે શુભાશુભ પ્રસંગેનો સમ્યક્ત્વવાન આત્માને મેળાપ થાય છે, તેમાં સાક્ષીરૂપે રહી તે તે કાર્યોને ઉચિત ન્યાય આપે છે. પરંતુ તેમાં પણ જે કાંઈ અયોગ્ય અને અનુચિતપણું, વિષય કષાય અને પ્રમાદના દોષથી ઉપલબ્ધ થયું હોય તેને માટે પશ્ચાત્તાપ કરે છે, અને તેને આભા તેવા પ્રસંગેની ઠોકરોથી સાવચેત થતો હોય છે. સાધ્યષ્ટિ તે આનું નામ છે. નિશુપણું તે સમ્યગ્દર્શનની હયાતીમાં નાબૂદ થઈ ગયેલું જ હોય છે. અનાદિકાળથી જે મન મર્યાદા વગરના વિકલ્પ કરતું હતું તે હવે કાંઈક સ્વરૂપમાં મર્યાદામાં આવી જાય છે, અને કેટલીક પરિસ્થિતિમાં અપરિમિત વિકલ્પોને રોકી શકવાના સામર્થ્યવાળું બને છે. મને બળમાં આ પ્રકારે વિજળીને ઝણઝણાટ પ્રકટવાથી તે અધિક વેગવાળું બને છે. કેમકે કુવિક આવતાંની સાથે જ સાધ્યદષ્ટિ તરફ આત્માનું લક્ષ્યબિંદુ હોવાથી તે વિકલ્પોને વધતાં અટકાવે છે અથવા તે ન
અટકી શક્યા, તો નિરાશાવડે, પુનઃ જાગૃત થઈ ભવિષ્યમાં તેના ઉપર વિજય મેળવવા માટે બળને સંચય કરે છે. આ કાર્ય તેની પ્રવૃત્તિ ઉપર અસર કરે છે, તેથી જ સાધ્યદષ્ટિમાં આ આમાની ઉત્તરેત્તર પ્રગતિ થતી હોય છે. સાધ્યદષ્ટિ એ આભાને ગુણસ્થાને ઉપર ચડવાનું એક બળ છે. જે વિકારે મનદ્વારા આત્માને હેરાન કરતા હતા છતાં જેને આત્મા સતત પરિચયપણાથી કવચિત્ વિશિષ્ટ પ્રકારના બાહ્ય નિમિત્તથી સુખરૂપે અથવા કવચિત તેવા જ ઉલટા નિમિત્તથી દુઃખરૂપે અનુભવ કરતે હતો, તે હવે આ સાધ્યદષ્ટિની પ્રાપ્તિ પછી એ વિકારોની અસરને આત્મા નિજીવ કરી મૂકે છે એટલે મનની શક્તિને અમલ તેવા પ્રકારે નહિ થતાં તે આપોઆપ અટકી જાય છે અને મનને સંકલ્પ વિકલ્પને ધર્મ હોવાથી તે શુભ વિચારણમાં જોડાય છે. જેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org