SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ ( ૧૧૪] જૈન દર્શન મીમાંસા પ્રતિબોધ પમાડવા, તે ઉત્કટ વિષવાળા સર્પની સન્મુખ વનમાં જાય છે તે વખતે તે સર્પ પૂર્વ જન્મના ક્રોધના સંસ્કારથી વીર પ્રભુને સવા તૈયાર થાય છે અને ડેસે છે; છતાં પ્રભુના પ્રત્યેક અણુમાં શાંતિ વ્યાપેલી હોવાથી, તે સર્પ પણ ક્રોધરૂપ વિકારને તજી હંમેશને માટે શાંત બની જાય છે. શ્રી પરમાત્મા પોતે ગ્રહણ કરેલ માર્ગ નિવિદા કરવા અન્ય દર્શનીઓની મિથ્યા માન્યતા ઉપર તિરસ્કાર કે આવેશ ધારણ કરતા નહેતા. તેઓ પોતાની પાસે આવનાર મનુષ્ય પાસે સત્ય હકીકત રજુ કરી ઊંડા સત્યને સમજાવી અસત્યનું ભાન કરાવતા હતા. શ્રી ગૌતમસ્વામી તમામ વેદના અંગેના પરિપૂર્ણ જ્ઞાનવાળા હતા, તેઓ અભિમાનપૂર્વક પ્રભુ સાથે ચર્ચા કરવા આવ્યા. શ્રી પ્રભુએ તેમને મધુર સ્વરથી બોલાવી તેમના મનમાં રહેલા સંશોનું વેદવિહિત વચન દ્વારા જ નિરાકરણ કર્યું અને સત્ય સ્થિતિ પોતાની મેળે જ સમજાય તેવો સંગ-સાધ્યો-એ હૃદય કેટલું વિતી શું હતું –તે સૂચવવા માટે પરતું છે આવા પ્રકારની ઉપદેશ શૈલીને જ તેમણે વારંવાર ગ્રહણ કરી પિતાને મંગલ હેતુ સિદ્ધ કર્યો હતો. “પર પરિણતિ અષપણે ઉવેખતા –એ વાકય જ એમ બતાવે છે કે દોષદષ્ટિને એમની પાસે અવકાશ નહતો. તેઓ અટાર દેષ રહિત હોઇ ત્રિભુવનમાં દેવાધિદેવ કહેવાયા છતાં અન્ય વ્યક્તિઓને હલકી માનવા જેટલું તેમનું હૃદયબળ તુચ્છ નહોતું અથવા અભિમાન વૃત્તિને સદંતર નાશ કરનાર એવા એમને માટે, એવી તુચ્છ વૃત્તિના વિચારને સંભવ પણ કેમ હોય! તેથી જ આપણા જેવા પ્રાકૃત પ્રાણીઓથી બેલાઈ જવાય છે કે " सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदं " શ્રી વીરને ઉપદેશ અને તે ઉપદેશને અક્ષર દેહ-શાસ્ત્રો, દુનિયાને શાંતિમાં પરિણામ કરાવવા અર્થે છે. પ્રાણીઓના વિકારોને શાંત કરી હૃદયને ઉન્નત બનાવી તેઓ આ સંસારની આધિ, વ્યાધિ ને ઉપાધિમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy