________________
[ ૧૦૮ ]
જૈન દર્શન મીમાંસા નાસ્તિક દર્શન પણ જિનેશ્વરરૂપ પુરુષનું ઉદર છે તેમ કહયું છે. મૂળથી મનુષ્યના વિચારે નાસ્તિક હોય છે. પેટ ખાલી હોવાથી શૂન્યતાનું સ્થાન છે. શુન્યમાંથી તમામ વિચારો ઉત્પન્ન થઈ પછી આસ્તિકતા પ્રગટે છે. એક પણ શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે.
જૈન દર્શનને મસ્તકની ઉપમા એટલા માટે આપવામાં આવી છે કે તમામ દર્શનેને સ્યાદ્વાદના દષ્ટિબિન્દુથી જુદી જુદી રીતે તે સમાવી શકે છે, જે માટે ઉત્તમ હોઈ મસ્તકપણાને યોગ્ય છે. ખુદ મહાવીર પરમાત્માએ તેમના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામી જેઓ બ્રાહ્મણ હતા, તેમને વેદની ઋચાઓ દ્વારા જ અર્થનું સમર્થન કરી સ્યાદ્વાદમય દલીલથી તેમના સંશોનું નિરાકરણ કર્યું હતું-એથી જૈન દર્શનના અધિષ્ઠાતાની વિશાળતા સંપૂર્ણપણે પ્રતીત થતી જેવાઈ છે. આ રીતે જૈનદર્શનને તુલનાત્મક દૃષ્ટિએ તપાસવામાં આવ્યું છે. અનેક દર્શનેથી ધક્કા ધુંબા ખાતા છતાં પણ આજ સુધી અખંડ ધારાએ ચાલ્યું આવ્યું છે. દરેક વખતે જૈન દર્શનના સમર્થ વિદ્વાને વિચરતા હોવાથી તેનું ગૌરવ ન્યૂનાધિક પ્રકારે જળવાતું આવ્યું છે. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી અનેક સમર્થ અને પારંગત વિદ્વાને થયા છે. જંબૂ સ્વામી, પ્રભવસ્વામી, યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર તેમ જ જૈન શાસ્ત્રને પુસ્તકારૂઢ કરનાર દેવર્ધિગણ ક્ષમાશ્રમણ અને તે પછીના કાળમાં માનતુંગાચાર્ય, હરિભદ્રસૂરિ, શાન્તિસૂરિ, હેમચંદ્રાચાર્ય, ધર્મ પરિ, હીરવિજયસૂરિ, યશવિજય ઉપાધ્યાય, વિનયવિજય ઉપાધ્યાય અને છેક હમણાના કાળમાં થઈ ગયેલા વિજ્યાનંદસૂરિ જેવા અનેક ઉજજ્વળ કીર્તિવંત પુરુષવર્યોના પ્રભાવથી સર્વગ્રાહી (Universal) જૈન દર્શનનું નિર્મળ ઝરણું સતત વહેતું રહ્યું છે. જૈન દર્શનમાં તત્વજ્ઞાન અને ક્રિયાકાંડેની પુષ્કળ સમૃદ્ધિ છે, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં મુકનારની ખામી સંપૂર્ણ રીતે દષ્ટિગોચર થાય છે. જેમ જેમ જુદા જુદા પ્રકારના ઉંચા ધાજો અને શાકે રસોઈ કરનારની અવ્યવરથાને અંગે રસાસ્વાદ આપી શક્તા નથી, તેમ ઉચ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org