________________
ઉપસંહાર
[૧] શ્યતા છે; તે જ સિદ્ધિ પર્ય ત–પરિણામવાળી થઈ શકે છે. અત્ર પ્રસ્તુત લેખ ઉપસંહરવામાં આવે છે અને પુરૂષાર્થસિદ્ધયુપાય ગ્રંથમાંથી આ ઉત્તમ દર્શનની પ્રશંસા સૂચક શ્લોક ટાંકી પૂર્ણ કરવામાં આવે છે.
एकेनाकर्षन्ती श्लथयन्ती वस्तुत्त्ववमितरेण ।
अन्तेन जयति जैनी नीति मैथाननेत्रमिव गोपी ।। “વલેણાની વવનારી ગોવાલણીની પેઠે જૈન દર્શનની સ્યાદ્વાદનીતિ (નિશ્ચયવ્યવહાર રૂ૫), સમ્યગદર્શનથી પિતાની તરફ ખેંચે છે, બીજી તરફ સમ્યજ્ઞાનથી ગ્રહણ કરે છે અને સભ્ય ચારિત્રથી સિદ્ધિરૂપ-માખણ-કાર્ય ઉત્પન્ન કરે છે. [સંપૂર્ણ ]
આ. પ્ર. વિ. સં. ૧૯૬૭
નોંધઃ-પ્રસ્તુત લેખ વિ. સં. ૧૯૬૭માં લખાયેલો છે. શ્રી ભગવતી સૂત્રના કથન પ્રમાણે રાજદ્ર વગઢ:-શબ્દ એ પુગલ-પરમાણુઓ છે તે સિદ્ધ થયું છે અને તે ગ્રામોફોન, રેડીઓ, ટેલીવીઝન વિગેરેથી પ્રત્યક્ષ છે. Ether તથા ગુરુત્વાકર્ષણ શક્તિ વિગેરે અનેક ગતિમાન શક્તિઓથી “ધર્માસ્તિકાય”નું અસ્તિત્વ સિદ્ધ થાય છે. વનસ્પતિમાં જીવની શોધ પ્રો. જગદીશચંદ્ર બોઝ યાંત્રિક શોધવડે સિદ્ધ કરેલી છે, જે જૈનદર્શન અનાદિ કાળથી માનતું આવ્યું છે છે વેશ્યાઓ એ માનસિક રૂપી” વિચારો છે અને તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જૈનદર્શને સ્વી કારેલાં છે, એટલું જ નહિં પરંતુ ભાષા વર્ગણાના પુગલો-શબ્દોમાં પણ વર્ણ, ગંધ, રસ સ્પર્શ શ્રી ભગવતી સૂત્રમાં નિવેદન કરેલાં છે. ગણિતાનુયોગની દષ્ટિએ જૈનદર્શન પ્રમાણે આ પૃથ્વી અસંખ્ય દ્વીપ-સમુદ્રવાળી વિશાળ છે. પૃથ્વી ફરે છે, તેમ જૈનદર્શન માનતું નથી. તે સંબંધમાં વિશ્વરચના પ્રબંધમાં પૂ. મુ. દશનવિજયજી ત્રિપુટીએ તથા શ્રી નગરાજજી કૃત “વિજ્ઞાન દષ્ટિએ જૈન ધર્મમાં અનેક દષ્ટાંતો વડે સિદ્ધ કરેલું છે. યુપીય વિદ્વાનોમાં પણ તે સંબંધમાં વિચાર ભેદો છે.
(. 2.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org