SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬1. ગણધરવાદ [૧૩૪. ૧૫.-- માત્ર આત્મસાપેક્ષ હોય તેને પ્રત્યક્ષ કહે છે. અન્ય દાર્શનિકે “અક્ષ' શબ્દને અર્થ ઈન્દ્રિયે એ કરે છે અને જે ઈન્દ્રિયજન્ય હેય તેને પ્રત્યક્ષ અથવા તે “લૌકિક' પ્રત્યક્ષ કહે છે. ૧૩૪. ૧૫. પુણ્ય-પાપ વિશેના મતભેદો--જે પ્રકારના મતભેદો પ્રસ્તુતમાં વર્ણવ્યા છે તેમાં સ્વભાવવાદ અને પાપ-પુણ્યને પૃથફ માનનારાઓ તા સર્વવિદિત છે, પણ માત્ર પુણ્ય કે માત્ર પાપ કે પુણ્ય-પાપને સંકર-એ પક્ષો કાના છે તે જાણવામાં આવ્યું નથી. અહીં જેવા પુણ્ય-પાપ વિશે વિકપે છે તે વસ્તુતઃ કાઈની માન્યતા છે કે માત્ર વિકલપે જ છે એ જાણવાનું પણ સાધન મળ્યું નથી. માત્ર અને એકાંશ મળતી હકીકત સાંખ્યકારિકાની વ્યાખ્યામાં સંવાદિ ગુણેના વર્ણન પ્રસ ગે મળે છે તેને નિર્દેશ કરવો જોઈએ. માઠરે પૂર્વપક્ષ કર્યો છે કે સત્વ-રજ-તમ એ ત્રણેને પૃથફ શા માટે માનવાં ? માત્ર એક જ ગુણ કેમ ન માનવો –જુઓ સાંખ્ય કા. ૧૩નું ઉત્થાન. ૧૪૪. ૧. યોગ-મન-વચન-કાયાના વ્યાપારને વેગકહે છે. ૧૪૪. ૩. મિથ્યાત્વ-અતત્વને તત્ત્વ સમજવું તે અથવા તે વસ્તુનું યથાર્થ શ્રદ્ધાન ન કરવું તે મિથ્યાત્વ” છે. ૧૪૪. ૩. અવિરતિ–પાપપ્રવૃત્તિથી નિવૃત્ત ન થવું તે “અવિરતિ' અર્થાત હિંસા, જૂઠ, ચેરી, અબ્રહ્મચર્ય-મિથ્યાચાર અને પરિગ્રહમાં પ્રવૃત્તિ કરવી તે. ૧૪૪. ૨, પ્રમાદ–આત્મવિસ્મરણ એ પ્રમાદ છે. કર્તવ્ય-અકર્તવ્યનું ભાન ન રાખવું તે. ૧૪૪. ૪. કષાય-ધ, માન, માયા, લેભ એ ચારને કષાય” કહેવાય છે. ૧૪૪. ૧૮. અધ્યવસાય-આત્માના શુભાશુભ ભાવે-પરિણામે એ “અધ્યવસાય' કહેવાય છે. ૧૪૪. ૩૧. લેયા-કષાયારંજિત યુગના પરિણામોને લેયા' કહે છે. તેના છ ભેદ છે: કૃષ્ણ, નીલ, કપોત, તેજ, પદ્મ અને શુક્લ. તે ઉત્તરોત્તર વિશુદ્ધ છે. કૃષ્ણથી કાપત સુધીની અશુભ અને તેજથી શુકલ સુધીની શુભ લેસ્યા છે. ૧૪૪ ૩૧, ધ્યાન-ચાર છેઃ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ, પ્રથમનાં બે અશુભ છે અને અંતિમ બે શુભ છે. અપ્રિય વસ્તુની પ્રાપ્તિ થયે તે દૂર કેમ થાય તેની સતત ચિંતા કરવી, દુઃખ દૂર કરવાની ચિંતા સેવવી, પ્રિય વસ્તુની પ્રાપ્તિ થઈ હોય તો તે કેમ બની રહે તેની ચિંતા કરવી, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે સંકલ્પ કરવો તે આર્તધ્યાન છે. હિ સે અસત્ય, ચેરી અને વિષયસંરક્ષણ માટે સતત ચિંતા સેવવી તે રૌદ્રધ્યાન છે. વીતરાગની આજ્ઞા વિશે વિચાર, દાના સ્વરૂપને અને તેથી કરો કેમ થાય તેને વિવાર, કર્મવિપાકની વિચારણા અને લેઉવરૂપને વિચાર-એ પ્રકારના વિચારમાં લાગી જવું તે ધર્મધ્યાન છે. પૂર્વશ્રુતના જ્ઞાતા અને કેવલીનું ધ્યાન શુકલધ્યાન કહેવાય છે. આના વિશેષ વિવરણ માટે જુઓ તત્વાર્થસૂત્ર ૯, ૨૭થી. ૧૪૫. ૮સમ્યમિશ્યા-દર્શનમોહનીય કર્મના ત્રણ ભેદ છે-૧ મિથ્યાત્વમેહનીય-જેના વિયથી તાની યથા શ્રદ્ધા ન થાય તે; ૨ સમ્યુમિથ્યાત્વ અથવા મિશ્રમેહનીય-જેના ઉદય વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy