SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ મેતાર્ય પરલોકચર્ચા [૧૫૫ વળી, અનિત્ય એવા જ્ઞાનથી ભિન્ન હોવાથી આત્માને એકાંત નિત્ય માનો તે આત્મામાં કર્તૃત્વ અને ભોક્તત્વ પણ ઘટી શકશે નહિ, તો પછી એકાત નિત્યમાં પરલેકની તો વાત જ શી ? નિત્યમાં પણ જે કતૃત્વ-ભકતૃત્વ હેય તે કર્તવાદિ નહિ તે સર્વદા હેવાં જોઈએ, કારણ નિત્ય વસ્તુ સદા એકરૂપ હોય છે. સર્વદા તે હતાં તે નથી, એટલે જીવને જે સર્વથા નિત્ય માનવામાં આવે તે તેમાં કર્તુત્વ ઘટી શકતું નથી. આત્મા કર્તા ન હોય છતાં પરલેક થતું હોય તે સિદ્ધને પણ પરલોક થવો જોઈએ. અને કતૃત્વ ન હોય તોપણ પરલોક માન વ્યર્થ છે, કારણ કે પરલોકમાં જે તેને કર્મફળ ભોગવવાનું જ ન હોય તે પછી પરાકની શી સાર્થકતા ? વળી, લાકડું અજ્ઞાની હોવાથી તેને સંસરણ–એક ભવથી બીજા ભવમાં જન્મ લેવાનું નથી તેમ આત્મા પણ જે જ્ઞાનથી ભિન્ન હોય તો આકાશની અજ્ઞાની આત્માને જેમ અજ્ઞાની જ બની જાય, તેથી તેને પણ સંસરણ ઘટે નહિ. સંસરણ નહિ વળી, આત્મા આકાશની જેમ અમૂર્ત હોવાથી પણ તેને સંસાર નથી. આ પ્રમાણે આત્મામાં જે સંસાર જ ન હોય તો પરલેક કેમ ઘટે? (૧૯૬૦) ભગવાન–તે જે આત્માને વિનશ્વર–અનિત્ય સિદ્ધ કર્યો તેમાં તારું કહેવાનું તાત્પર્ય એવું છે કે જે ઉત્પત્તિશીલ હોય તે ઘટાદિની જેમ અનિત્ય ઉત્તરપક્ષઃ હવું જોઈએ. વિજ્ઞાન ઉત્પત્તિશીલ હોવાથી અનિત્ય છે તેથી પરલેકસિદ્ધિ આત્મા વિજ્ઞાનાભિન્ન આત્મા પણ અનિત્ય હવે જોઈએ. વળી, તું એમ અનિત્ય છે માટે પણ માનતા લાગે છે કે જે પર્યાય હોય છે તે અનિત્ય હોય છે. નિત્ય પણ છે જેમ સ્તસ્માદિના નવત્વ, પુરાણત્વ આદિ પર્યા, વિજ્ઞાન પણ પર્યાય હેવાથી અનિય છે અને તેથી આત્મા પણ જે વિજ્ઞાનમય હોય તે અનિત્ય માનવો જોઈએ. અને તેથી તું એ પરિણામ પર પહોંચે છે કે આત્માને પરલોક નથી. પણ તારી આ માન્યતા બ્રમપૂર્ણ છે, કારણ કે જે હેતુઓ વડે તે વિજ્ઞાનને અનિત્ય સિદ્ધ કર્યું એ જ હેતુઓ વડે તેને નિત્ય પણ સિદ્ધ કરી શકાય છે. અર્થાત જે ઉત્પત્તિશીલ હોય છે કે જે પર્યાય હોય છે તે સર્વથા વિનાશી નહિ, કિન્તુ અવિનાશી પણ હોય છે. મેતાર્ય—એમ કેમ બને? ભગવાન–વસ્તુને સ્વભાવ ઉપાદ–વ્યય અને ધ્રોવ્ય છે; એટલે કે કોઈ પણ વસ્તુમાં માત્ર ઉત્પાદ નથી હોતા. જ્યાં ઉત્પાદ હોય છે ત્યાં પ્રૌવ્ય પણ છે; એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy