SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ મેતાર્ય]. પરલેક્સ ૧૫૩ વળી, જે પ્રતિપિંડમાં ભિન્ન એવા અનેક ચિતન્યધર્મોને ન માને અને માત્ર સકલ ચિતન્યાશ્રયરૂપ એક જ સર્વવ્યાપી અને નિષ્ક્રિય આત્મા માને, અત આત્માને જેના વિશે કહેવામાં આવ્યું છે કે-- સંસરણ નથી પ્રત્યેક ભૂતમાં વ્યવસ્થિત એવો એક જ ભૂતાત્મા છે અને તે એક છતાં એકરૂપે અને બહુરૂપે જલમાં ચંદ્રના પ્રતિબિમ્બની જેમ દેખાય છે.”-- તે પણ પરલેકસિદ્ધિ તો થઈ શકતી નથી, કારણ કે તે સર્વગત અને નિષ્ક્રિય હોવાથી આકાશની જેમ પ્રત્યેક પિંડમાં વ્યાપ્ત છે તેથી તેનું સંસરણ સંભવતું નથી. અને સંસરણ વિના પરફેકગમન કેમ સંભવે ? (૧૯૫૪) વળી, આ મનુષ્યલેકની અપેક્ષાએ દેવ-નારકને ભવ પરક કહેવાય છે, પણ તે પ્રત્યક્ષ તે દેખાતું નથી માટે પણ પરલેક નથી. આ પ્રમાણે તું યુક્તિથી વિચારે છે તે પરલકનો અભાવ સિદ્ધ થાય છે; પણ વેદવાક્યોમાં તે પરલેકનું પ્રતિપાદન પણ કરવામાં આવ્યું છે, તેથી તેને શંકા છે કે પરલેક છે કે નહિ. (૧૯૫૫) મતાય—આપે મારી શંકાનું યથાર્થ પ્રતિપાદન કર્યું. પણ હવે તેનું નિવારણ કૃપા કરીને કરે. ભગવાન-ભૂત-ઈન્દ્રિય ઈત્યાદિથી ભિન્ન એવા આત્માનો ચૈતન્ય ધર્મ છે અને તે આત્મા જાતિસ્મરણ આદિ હેતુઓ વડે દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી પરલેકસિદ્ધિ અનિત્ય સિદ્ધ થાય છે. આ વિશે વિશેષ ચર્ચા મેં વાયુભૂતિ સાથે આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે કરી છે, એટલે તારે પણ તેની જેમ આત્માને માન જોઈએ. (૧૯૫૬) મેતાય—-અનેક આત્માને બદલે એક જ સર્વગત અને નિષ્ક્રિય આત્મા શા માટે ન માન? ભગવાન–આત્મદ્રવ્યને એક સર્વગત અને નિષ્ક્રિય ન માની શકાય, કારણ કે ધટાદિની જેમ તેમાં લક્ષણભેદ છે. તેથી અનેક ઘટાદિની જેમ આત્માને આત્મા અનેક છે પણ અનેક માનવા જોઈએ. આ વિશે વિશેષ ચર્ચા ઇન્દ્રભૂતિની સાથે થયેલી છે, તેથી તું પણ તેની જેમ આત્માને અનેક માની લે. १. "एक एव हि भूतात्मा भते भूते व्यवस्थितः । વૈધા ફુવા જૈવ દફતે બજાવત્ ” ત્રવિન્દ્રપનિષદૂર-૧૧ ૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy