________________
સુધમાં
આ ભવ અને પરભવના સાદયની ચર્ચા ભગવાન-કારણ સદશ જ કાર્ય હોય એવો એકાન્તિક નિયમ નથી. ઇંગથી
પણ શર નામની વનસ્પતિ થાય છે, અને તેને જ જે સર્ષનો સંશનિવારણ– લેપ કરવામાં આવે તે વળી તેમાંથી જ અમુક પ્રકારનું ઘાસ કારણથી વિલક્ષણ થાય છે. વળી ગાય અને બકરીના વાળથી દૂર્વા–ધરો થાય છે. કાર્ય આ રીતે નાના પ્રકારનાં દ્રવ્યોના સંયોગથી વિલક્ષણ વનસ્પતિની
ઉત્પત્તિનું વર્ણન વૃક્ષાયુર્વેદમાં છે. તેથી સિદ્ધ થાય છે કે કારણાનુરૂપ જ કાર્ય હોય છે એ નિયમ નથી, પણ કારણથી વિલક્ષણ પણ કાર્ય ઉત્પન થઈ શકે છે. વળી, યોનિપ્રાભૂતમાં જ્યાં નિનું વર્ણન છે તેના આધારે પણ સિદ્ધ થાય છે કે નાના દ્રવ્યના સંમિશ્રણથી સર્પ.સિંહાદિ પ્રાણીઓની અને સુવર્ણ તથા મણિની ઉત્પત્તિ થાય છે. તેથી પણ માનવું જોઈએ કે કારણથી વિલક્ષણ કાર્ય ઉત્પન્ન થઈ શકે છે, તેથી કારણાનુરૂપ જ કાર્ય હોવું જોઈએ એવો એકાંત નથી.
(૧૭૭૪-૭૫) વળી, કારણનુરૂપ કાર્ય માને તોપણ ભવાન્તરમાં વિચિત્રતા સંભવે છે; એટલે કારણચિધ્યથી કે કારણનુરૂપ કાર્ય માનવા છતાં મનુષ્ય મરીને મનુષ્ય જ થાય છે કાર્યવૈચિય એમ તો નિશ્ચિત કરી શકાય નહિ.
સુધર્મા–તે કેવી રીતે?
ભગવાન–તું જે બીજને અર્થાત કારણને અનુરૂપ જ અંકુર અર્થાત્ કાર્યને જન્મ માનતો હોય તોપણું તારે પરજન્મમાં જીવમાં વચિય માનવું જ જોઈએ, કારણ કે ભવાંકુરનું બીજ મનુષ્ય નહિ, પણ તેનું કર્મ છે. અને તે તો વિચિત્ર છે. તેથી મનુષ્યનો પરભવ વિચિત્ર થાય એમાં શી નવાઈ ? કારણ કે કારણ જે વિચિત્ર હોય કાર્ય પણ વિચિત્ર થાય જ છે.
સુધર્મા–પણ કર્મ વિચિત્ર શા માટે છે?
ભગવાન–કમના હેતુઓ મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ-કષાય-યોગની વિચિત્રતા છે તેથી કર્મ વિચિત્ર છે, અને કર્મ વિચિત્ર હોવાથી જીવને ભવાંકુર પણ વિચિત્ર જ થશે. આ વસ્તુ તારે સ્વીકારવી જ જોઈએ. આથી મનુષ્ય મરીને પોતાના કર્મને અનુસરીને નારક, દેવ કે તિર્યંચરૂપે પણ જન્મ લે છે એમ માનવું જોઈએ. (૧૯૭૬-૭૮)
ઉક્ત વસ્તુને સિદ્ધ કરવા માટે અનુમાન પ્રમાણ પણ છે. તે આ પ્રમાણે– જીવોનું સંસારીપણું નારાકાદિરૂપે વિચિત્ર છે, કારણ કે તે વિચિત્ર કમનું ફલ-કાર્ય છે. જે વિચિત્ર હેતુનું ફલ હોય છે તે વિચિત્ર હોચ છે; જેમ કૃષ્ણાદિ વિચિત્ર કર્મનું ફલ લોકમાં વિચિત્ર દેખાય છે.
(૧૭૭૯) સુધર્મા–કર્મની વિચિત્રતા છે તેમાં શું પ્રમાણ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org