________________
અગ્નિભૂતિ કર્મના અસ્તિત્વ વિશે ચર્ચા
અગ્નિભૂતિ–સ્વભાવથી ઉત્પત્તિ કેમ ન ઘટે? કઈ ઋષિએ પણ કહ્યું છે કે –
ભાની–વસ્તુઓની ઉત્પત્તિમાં કઈપણ હેતુની અપેક્ષા નથી એમ સ્વભાવ વાદીએ કહી ગયા છે. તેઓ વસ્તુની ઉત્પત્તિમાં “સ્વને પણ કારણ માનતા નથી.
તેઓ કહે છે કે કમળ કમળ છે, કાંટા કઠોર છે, મયૂરપિચ્છ વિચિત્રરંગી છે અને ચંદ્રિકા ધવલ છે, આ પ્રકારનું વિશ્વચિય કોણ કરે છે? એ તો બધું સ્વભાવથી જ થાય છે. એટલે માનવું જોઈએ કે જગતમાં જે કંઈ કાદાચિત્ક-ક્યારેક ન હોય પણ ક્યારેક થનારું છે તેનો કઈ હેતુ હેત નથી. જેમ ઉપર જણાવેલ કાંટાની તીણતાનો કોઈ હેતુ નથી તેમ જીવનમાં સુખ દુઃખમાં પણ કઈ હેતુ નથી સંભવતે, કારણ કે તે કદાચિક–કદી કદી થનારાં છે.”
આ વચનોથી પણ જણાય છે કે વિશ્વનું વંચિય કર્મથી નહિ પણ સ્વભાવથી જ છે.
ભગવાન–તારી આ માન્યતા દૂષિત છે. તું જેને રવભાવ કહે છે તે વિશે હું તને પૂછું કે તે શું છે? શું સ્વભાવ એ વસ્તુવિશેષ છે? કે તું અકારણુતાને સ્વભાવ કહે છે કે વસ્તુના ધર્મને ?
અગ્નિભૂતિ–સ્વભાવને વસ્તુ વિશેષ માનીએ તો શે દેષ ?
ભગવાન–વસ્તુવિશેષરૂપ સ્વભાવનું સાધક પ્રમાણ નથી, માટે તેને પણ તારે કમની જેમ સ્વીકારવો જોઈએ નહિ. અને જે તે ગ્રાહક પ્રમાણ વિના સ્વભાવનું અસ્તિત્વ માનતે હોય તે તે જ ન્યાયે તારે કર્મનું પણ અસ્તિત્વ માનવું જ જોઈએ.
વળી સ્વભાવને તું મૂર્ત માનીશ કે અમૂર્ત? જો મૂર્ત માનતો હોય તો તે કર્મનું જ બીજું નામ થયું. અને જે અમૂર્ત માને તે તે કશાનો પણ કર્તા બને નહિ, કારણકે તે આકાશની જેમ અમૂર્ત છે અને ઉપકરણથી રહિત પણ છે.
१. "सब हेतुनिराशस भावानां जन्म वय॑ते । स्वभाववादिभिस्ते हि नाहुः स्वमपि कारणम्॥ राजीवकण्टकादीनां वैचित्र्यं कः कति हि । मयूरचन्द्रिकादिर्वा विचित्रः केन निर्मितः ॥ कादाचित यदत्रास्ति निःशेष तदहेतुकम् । यथा कण्टकतैक्षण्यादि तथा चैते सुखादयः॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org