SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રભૂતિ જીવના અસ્તિત્વ વિશે ચર્ચા ૧૭ એટલે જેમ “ઘડે નથી” એમ કહીએ છીએ ત્યારે આપણી સામે નહિ પણ અન્યત્ર ઘડે અવશ્ય હોય છે, તેમ “જીવ નથી' એમ કહીએ છીએ ત્યારે અહી નહિ તે અન્યત્ર જીવનું અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ. જે વસ્તુ સર્વથા હોતી નથી તેના વિશે નિષેધ પણ કરાતો નથી; તેને “નથી’ એમ પણ કહેવાતું નથી; જેમ ખરવિષાણુ જેવા અસત છઠ્ઠી ભૂત વિશે. જીવન તે તું નિષેધ કરે છે, માટે જ તારે તેનું અસ્તિત્વ માનવું જોઈએ. (૧૫૭૩) ઇન્દ્રભૂતિ–ખરવિષાણુ નથી એમ કહેવાય તે છે, તે આપ એમ કેમ કહો છો કે જેનું સવ-અસ્તિત્વ ન હોય તેને વિશે ‘નથી” એ પ્રાગ નથી થતો? અને વળી જેની સાથે નથી” શબ્દનો પ્રયોગ થાય છે તેનું આપના મત પ્રમાણે અવશ્ય અસ્તિત્વ હોય છે, તે આપે ખરવિષાણુનું પણ અસ્તિત્વ માનવું પડશે, કારણ કે “અરવિષાણુ નથી' એવો પ્રયોગ તો થાય છે. ભગવાન–હું એ નિયમ પર દઢ છું કે જે સર્વદા અસત્ અર્થાત અવિદ્યમાન હોય તેનો નિષેધ થઈ શકતો નથી અને જેને નિષેધ થાય છે તે નિષેધ અર્થ જગતમાં કયાંક તો વિદ્યમાન હોય જ છે. વસ્તુતઃ નિષેધથી વસ્તુના સર્વથા અભાવનું પ્રતિપાદન નથી થતું, પણ તેના સંયોગાદિના અભાવનું પ્રતિપાદન થાય છે. અર્થાત્ દેવદત્ત જેવા કોઈ પણ પદાર્થને જ્યારે આપણે નિષેધ કરીએ છીએ ત્યારે તેના સર્વથા અભાવનું પ્રતિપાદન નથી કરતા, પણ અન્યત્ર વિદ્યમાન એવા દેવદત્તાદિને અન્યત્ર સંગ નથી, કે સામાન્ય અગર તે વિશેષ નથી, એટલું જ બતાવવું અભિપ્રેત હોય છે. જયારે આપણે “ઘરમાં દેવદત્ત નથી એમ કહીએ છીએ ત્યારે તાત્પર્ય એટલું જ છે કે દેવદત્ત અને ગૃડ બને વિદ્યમાન છતાં બન્નેને સંગ નથી; તેમ જ્યારે આપણે એમ કહીએ છીએ કે “ખરવિષાણ નથી ત્યારે એનું તાત્પર્ય એવું છે કે ખર અને વિષાણુ એ બન્ને પદાર્થો પોતપોતાને સ્થાને વિદ્યમાન છતાં એ બન્નેનો સમવાય-સંબંધ નથી. તે જ પ્રમાણે જ્યારે આપણે એમ કહીએ છીએ કે “બી જે ચન્દ્ર નથી ત્યારે ચન્દ્રને સર્વથા નિષેધ નથી, પણ ચંદ્ર સામાન્ય નિષેધ છે. અર્થાત એક વ્યક્તિમાં સામાન્યને અવકાશ નથી, અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે “ઘડા જેવડું મોતી નથી” ત્યારે મોતીને સર્વથા નિષેધ અભિપ્રેત નથી, પણ ઘટના પરિમાણુરૂપ વિશેષને અભાવે મોતીમાં છે એટલું જ પ્રતિપાદિત કરવું અભિપ્રેત છે. આ પ્રમાણે “આત્મા નથી' એમાં પણ આત્માનો સર્વથા અભાવ અભિપ્રેત ન હોવો જોઈએ, પણ તેના સંગાદિનો જ નિષેધ માન જોઈએ. - ઇન્દ્રભૂતિ–આપના નિયમ પ્રમાણે તે “તું ત્રિલેકેશ્વર નથી' એમ મારા વિશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy