SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ વૈદિક આર્યો આશાવાદી, ઉત્સાહી અને આનંદી પ્રજા હતી એટલે તેમણે જે પ્રકારની સ્વર્ગની કપના કરી છે તે તેમની વિચારધારાને અનુકુલ જ છે અને તેથી જ પ્રાચીન વેદમાં પાપી લેકેાને માટે નરક જેવા સ્થાનની ક૯૫ને તેમણે કરી નથી. દાસ કે દયુ જેવા કે, જેમને આર્ય પ્રજાએ પિતાના શત્રુઓ માન્યા હતા તેમને માટે પણ તેમણે નરકની ક૯૫ને પણ કરી નથી, પણુ દેવોને પ્રાર્થના કરી છે કે તેમને સર્વથા નાશ જ કરી નાખે તેમના મૃત્યુ પછી તેમનું શું થાય એ બાબતમાં તેમણે કશું જ વિચાર્યું નથી.. જે પુણ્યશાળી મનુષ્ય મરીને સ્વર્ગમાં જાય છે તેઓ સદાને માટે ત્યાં જ રહે છે એવી કલ્પના છે. તેમના પુણ્યનો ક્ષય થયે તેઓ મર્યલોકમાં પાછા આવે છે, એ કહપના વેદકાળની નથી, પણ પછીના બ્રાહ્મણકાળની છે.' ઉપનિષદના દેવલોકો બૃહદારણ્યક ઉપનિષદમાં આનંદની તરતમતાનું વર્ણન આવે છે એના ઉપરથી મનુષ્યલેકથી ઉપરના જે લેક છે એના વિશે આપણને ખ્યાલ આવી શકે છે. તેમાં જણાવ્યું છે કે માણસમાં જે કાઈ તંદુરસ્ત હોય, ધનવાન હય, બીજાઓને ઉપરી હોય, જેની પાસે દુનિયાના બધા વૈભવ વધારેમાં વધારે હોય, તે આ દુનિયામાં મળનાર મેટામાં મોટો મનુષ્યોને આનંદ છે. આ દુનિયાના આનંદથી સો ગણે આનંદ પિતૃલેકમાં ગયેલા પિતૃઓને હેાય છે. પિતૃલેકમાં ગયેલા પિતૃઓના આનંદથી સો ગગો આનંદ ગંધર્વલોકમાં હોય છે. ગંધર્વલકના આનંદથી સો ગણો આનંદ પુણ્યકર્મ વડે દેવ બનેલા લોકોને હેય છે. પુણ્યકર્મ વડે દેવ બનેલા લોકોના આનંદથી સો ગણે આનંદ સૃષ્ટિની આદિમાં જન્મેલા દેને હોય છે. એવા દેના આનંદથી સે ગણો આનંદ પ્રજાપતિલકમાં હોય છે. પ્રજાપતિ લોકના આનંદથી સે ગહે આનંદ બ્રહ્મલોકમાં છે. એ બ્રહ્મલોકને આનંદ તે મોટામાં મોટો આનંદ છે. -બહદા૨ ૪. ૩. ૩૩, દેવયાન પિયાન અગ્રેદમાં દેવયાન અને પિતૃયાન શબ્દોને પ્રયોગ થયો છે, પણ તે માર્ગોનું વર્ણને તેમાં મળતું નથીઉપનિષદોમાં તે બનને માર્ગોને ખુલાસે વિવિધ રૂપે મળે છે. પણ આપણે તેની વિગતોમાં ન જતાં વિદ્વાનોને જે વર્ણન કાંઈક સંગત જણાયું છે તે જોઈ લઈએ. કૌશીતકી ઉપનિષદમાં દેવયાનનું વર્ણન આ પ્રમાણે છે-મરણ બાદ દેવયાન માર્ગે જનારા ક્રમશઃ અમિલક, વાયુલોક, વરુણલોક, ઇન્દ્ર લોક અને પ્રજાપતિલોકમાં થઈને બ્રહ્મલેકમાં જાય છે. ત્યાં તે મન વડે આર નામના સરેવરને ઓળંગી જાય છે અને યેષ્ટિહા (ઉપાસનામાં વિન નાખનારા) નામના દેવેની પાસે જાય છે. તે દેવે તેને જોતાં દર ભાગી જાય છે. પછી તે વિરજા નદીને મન વડે ઓળગે છે. તે અહીં પુણ્ય અને પાપને છોડી દે છે ત્યાર પછી તે ઈલ્ય નામના વૃક્ષ પાસે જાય છે અને ત્યાં તેને બ્રહ્માને ગંધ આવે છે. પછી તે ૧. ક્રિએટીવ પિરિયડ. પૃ. ૨૭, ૭૬ ૨, મૃત્યે અનુ વજે િવથા યત્તે સ્વ રૂત સેવયાનાત | ઋદ ૧૦-૧૯-૧| વંથામન પ્રવિજ્ઞાન પિતૃયા– દ ૧૦-૨-૩ ૩, બહદા૨ ૫-૧૦-૧, છાન્દોગ્ય ૪, ૧૫. ૫-૬; ૫, ૧૦, ૧-૬, કાષીતકી ૧, ૨-૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy