SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ પ્રસન્ન કરે છે તે તેમની સહાનુભૂતિ પ્રાપ્ત કરે છે, પણ જેઓ યજ્ઞ નથી કરતા તેઓ તેમના તિરસ્કારને પાત્ર બને છે. દેવો નીતિમાન છે, સત્યશીલ છે, પણ દગાબાજ નથી. દેવે પ્રામાણિક અને ચારિત્રશીલ મનુષ્યની રક્ષા કરે છે, ઉદાર અને પુણ્યશીલ વ્યક્તિ અને તેમનાં કૃત્યોને બદલે આપે છે, પણ પાપીને સજા કરે છે. દેવો જેના મિત્ર બની જાય છે તેમનું કઈ કશું જ બગાડી શકતું નથી. પોતાના ભક્તોના શત્રુઓને નાશ કરીને તેમની સંપત્તિ દેવો પોતાના ભક્તોને આપી દે છે. બધા દેવોમાં સૌન્દર્ય, તેજ અને શક્તિ છે. સામાન્ય રીતે દેવો પોતે પોતાના અધિપતિ છે, અર્થાત અહમિન્દ્ર છે. જો કે ઋષિઓએ તેમનું વર્ણનમાં અતિશયોક્તિ કરીને તે તે દેવને સર્વાધિપતિ કહ્યા છે, પણ તેને અર્થ સામાન્ય રીત એ નથી કે તે તે દેવ અન્ય દેના રાજાની જેમ અધિપતિ છે. ઋષિઓએ જે દેવાનું ગાન કર્યું છે તે તેમને પ્રસન્ન કરવાનું છે તેથી એ સ્વાભાવિક છે કે બને તેટલા અધિક ગુણોનું આરોપણ તે તે દેવામાં તેઓ કરે. આ રીતે પ્રત્યેક દેવમાં સર્વસામર્થ્ય આરોપાયું હોય તે નવાઈ જેવું નથી. આનું પરિણામ એ આવ્યું કે આગળ જતાં યજ્ઞ માટે બધા દેવોની મહત્તા સરખી મનાઈ એટલે છેવટે v સ વિઝા વૈપા વરિત- એક જ તવને વિપ્રે નાના પ્રકારે કહે છે-એવી માન્યતા રૂઢ થઈ ગઈ. છતાં પણ વ્યક્તિગત દેવોની માન્યતા યજ્ઞપ્રસંગમાં કદી પણું ઢીલી પડી નથી. જુદા જુદા પ્રસંગે જુદા જુદા દેવોના નામે યજ્ઞો ચાલુ જ રહ્યા છે. એથી માનવું જોઈએ કે ઋગ્લેદકાલમાં કેઈ એક જ દેવનું બીજા કરતાં અધિક મહત્ત્વ હતું એમ માનવાને કશું જ કારણ નથી. એટલે એક દેવને સ્થાને બીજા દેવને બેસાડી દેવાનું ઋવેદકાલમાં ક૯૫વું એ અસ્થાને છે. દેવામાંના બધા ઘુલકવાસી જ છે એવું નથી, પરંતુ સ્વયં વૈદિકેએ જ લેકના જે ત્રણ વિભાગ કર્યા છે તેમાં તેઓને વાસ સ્વીકાર્યો છે. યુકવાસી દેવામાં વૌ, વરુણ, સૂર્ય, મિત્ર, વિષ્ણુ, દક્ષ, અશ્વિન આદિને સમાવેશ છે. અન્તરિક્ષમાં વાસ કરનાર દેવામાં ઇન્દ્ર, મરુત, રુદ્ર, પર્જન્ય આદિ સમાવેશ છે, અને પૃથ્વીમાં અગ્નિ સોમ બહસ્પતિ આદિ દેવોના નિવાસ છે. વૈદિક સ્વર્ગ-નરક આ લોકમાં જે મનુષ્યો સારાં કૃત્ય કરે છે તે મરીને સ્વર્ગમાં યમલોકમાં જાય છે. એ યમલોક પ્રકાશપુંજથી વ્યાપ્ત છે. ત્યાં પર્યાપ્ત માત્રામાં અને અને સમ તેમને મળે છે, અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કેટલાક વિષ્ણુ અથવા વરુણલકમાં જાય છે વરુણલેક એ સર્વોચ્ચ સ્વર્ગ છે. વરુણુલોકમાં જનાર સત્યની બધી ત્રુટીઓ દૂર થાય છે અને ત્યાં દેવોની સાથે તે મધુ, સોમ અથવા ઘુતનું પાન કરે છે અને તેમને તેમના પુત્ર વગેરેએ શ્રાદ્ધ તર્પણમાં આપેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તથા પોતે જે ઈચ્છા પૂર્ત (વાવ, કૂવા, તળાવ વગેરે નવાણ) કર્યું હોય છે તેનું પણ ફળ સ્વગમાં ભગવે છે. ૧. ઋગ્વદ ૧. ૧૬૪.૪૬ ૨. દેશમુખ, પૂર્વોક્ત પુરતક, પૃ૦ ૩૧૭–૩૨૨ ને સાર. ૩. ત્ર દ ૯, ૧૧૩, ૩થી ૪, ઋદ ૧, ૧૫૪ ૫, ઋવેદ ૭, ૮૮, ૫ ૬, ઋગ્વદ ૧૦, ૧૪, ૮, ૧૦, ૧૫, ૭ ૭ ઋગ્વદ ૧૦, ૧૫૪, ૧ ૮. ક્રિએટીવ પિરિયડ, પૃ. ૨૬ ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy