SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મને કરનાર કોઈ છે નહિ, વિપાક-કર્મનું ફલને વેદનાર કોઈ છે નહિ, પણ શુદ્ધ ધર્મોની પ્રવૃત્તિ થાય છે આ જ સમ્યગ્દર્શન છે. આ પ્રમાણે કર્મ અને વિપાક પોતપોતાના હેતુને લઈને પ્રવૃત્ત થાય છે અને તેમાં પહેલું કેણ એ બીજ અને વૃક્ષની જેમ કહી શકાતું નથી, એટલે કે કર્મ અને વિપાક અનાદિકાળથી એકથી બીજુ એમ બીજ અને વૃક્ષની જેમ ચાલ્યાં આવ્યાં છે. વળી એ કર્મ અને વિપાકની સંતતિ કયારે નિરુદ્ધ થશે એ પણ કહી શકાતું નથી. તૈર્થિ કે આ વસ્તુને જાણ્યા વિના પરાધીન બને છે. સત્વ-જીવને લઈને કેઈ શાશ્વત અને કઈ ઉચ્છેદવાદનું અવલંબન લે છે અને પરસ્પર વિરોધી એવી ૬૨ દૃષ્ટિઓને રહે છે. દષ્ટિના બંધનમાં બંધાઈને તેઓ તૃષ્ણાસ્ત્રોતમાં તણાઈ જાય છે અને તેમાં તણાતા એવા તે દુઃખથી મુક્ત થઈ શકતા નથી. એ વસ્તુને જાણીને બુદ્ધ-શ્રાવક ગંભીર નિપુણ શન્ય એવા પ્રત્યયને જાણે છે. કર્મ એ વિપાકમાં નથી અને વિપાક એ કર્મમાં નથી, એ બંને એકબીજાથી શૂન્ય છે છતાં કર્મ વિના ફલ-વિપાક તો છે નહિ. જેમ અગ્નિ સૂર્યમાં નથી, મણિમાં નથી, ગામ-છાણમાં નથી અને તેથી બહાર પણ નથી, પણ તે બધાંને સમુદાય થયે તે ઉત્પન્ન થાય છે-તે જ પ્રકારે કર્મને વિપાક એ કર્મમાં ઉપલબ્ધ નથી અને કર્મથી બહાર પણ નથી, અને વિપાકમાં પણ કર્મ નથી, આ પ્રમાણે કર્મ એ ફલશન્ય છે, કર્મમાં ફળ નથી છતાં પણ કર્મને લઈને ફળ તો મળે છે. અહીં કોઈ દેવ કે બ્રહ્મા સંસારને કર્યા છે નહિ-શુદ્ધ ધર્મોની જ પ્રવૃત્તિ હેતુસમુદાયને લઈને થાય છે-વિશુદ્ધિમાર્ગ ૧૯, ૨૦. ભદંત નાગસેને રથની ઉપમાથી પુદ્ગલ એ કેશ, દાંત ઈત્યાદિ શરીરના અંશે તથા રૂ૫, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન એ બધાની અપેક્ષાએ છે, પણ પારમાર્થિક કઈ છે નહિ એમ જણાવ્યું છે. મિલિન્દ પ્રશ્ન ૨. ૪. સૃ૦ ૨૯૮. સ્વયં બુદ્ધષે કહ્યું છે કે – यथेव चक्खुवि-आण मनोधातु अनन्तर । न चेव आगत नापि न निब्वत अनन्तर । तथेष परिसन्धिम्हि वत्तते चित्तस तति । पुरिम भिज्जति चित्त पच्छिम जायते ततो ॥ મનોધાતુથી અનાર જેમ ચક્ષુવિજ્ઞાન થાય છે તે ક્યાંથી આવ્યું તો નથી છતાં તે ઉત્પન્ન નથી થયું એમ પણ નથી, તે જ પ્રકારે જન્માક્તરમાં ચિત્તસંતતિ વિશે સમજવાનું છે કે પૂર્વ ચિત્તને નાશ થયે છે અને તેથી નવું ચિત્ત ઉત્પન્ન થયું છે. (વિશુદ્ધિમાર્ગ ૧૯-૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy