________________
શ્રી મહાવીર સ્વામી
પણ દ્વાદશાંગીના પારાગામી થશે તે પૂર્વમાંથી ઉદ્ધારીને દશ વૈકાલિક સૂત્ર રચશે. તેના શિષ્ય યશોભદ્ર સર્વ પૂર્વધારી થશે. અને તેના શિષ્ય સંભૂતિવિજય અને ભદ્રબાહુ પણ ચૌદ પૂર્વ થશે. સંભૂતિ વિજયના શિષ્ય સ્થૂલભદ્ર ચૌદ પૂર્વ થશે. ત્યાર પછી છેલ્લા ચાર પૂર્વ ઉચ્છેદ પામી જશે. ત્યાર પછી મહગિરિ અને સુહસ્તિથી તે વજ સ્વામી સુધી આ તીર્થના પ્રવર્તકો દશ પૂર્વધર થશે.” આ પ્રમાણે ભવિષ્યની હકીકત જણાવીને શ્રી વીર પ્રભુ સમવસરણમાંથી બહાર નીકળ્યા. અને હસ્તિપાળ રાજાની શુલ્ક દાણ લેવાની) શાળામાં ગયા.
તે દિવસની રાતે જ પોતાનો મોક્ષ જાણીને પ્રભુએ વિચાર્યું ગૌતમનો સ્નેહ મારા પર અત્યંત છે અને તે જ તેમને કેવળ જ્ઞાનની ઉત્પત્તિમાં અંતરાય કરે છે. તેથી તે સ્નેહને મારે છેદી નાખવો જોઈએ. આમ વિચારીને તેમણે ગૌતમને કહ્યું : “ગૌતમ, અહીંથી નજીકના બીજા ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ છે. તે તમારાથી પ્રતિબોધ પામશે માટે તમે ત્યાં જાઓ.’
તે સાંભળીને “જેવી આપની આજ્ઞા.” એવું કહીને ગૌત્તમ વીર પ્રભુને નમીને તરત જ ત્યાં ગયા. ગૌતમ સ્વામીએ ત્યાં જઈને દેવવમને પ્રતિબોધ પમાડ્યો.
જ્યારે અહીં આસો માસની અમાવસ્યાએ પાછલી રાતે ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં આવતાં છઠ્ઠનો તપ કરેલો છે એવા શ્રી વીર પ્રભુએ પંચાવન અધ્યયન, પુણ્યફળ વિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપફળ વિપાક સંબંધી કહ્યાં. પછી છત્રીશ અધ્યયન અપશ્રવ્યાકરણ એટલે કોઈના પૂછડ્યા વિના જણાવી, છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા લાગ્યા. તે સમયે આસન કંપથી પ્રભુનો મોક્ષ સમય જાણી સર્વ સુરને અસુરના ઈન્દ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા.
શક્રઈન્ડે પ્રભુને વંદન કરતાં કહ્યું : “પ્રભુ, આપના ગર્ભમાં જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હસ્તોત્તરા નક્ષત્ર હતું. આ વખતે તેમાં ભસ્મક ગ્રહ સંક્રાંત થવાનો છે. તમારા જન્મનક્ષત્રમાં સંક્રમેલો તે ગ્રહ બે હજાર વર્ષ સુધી આપના સાધુ-સાધ્વી સમુદાયને બાધા ઉત્પન્ન કરશે. માટે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org