SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર સ્વામી ૨૭૩ જ દેવતાઓ લઈ ગયા અને અર્ધભાગ ભૂમિ પર પડ્યો. તેમાંથી અડધો ભાગ રાજા અને બાકીનો ભાગ બીજા લોકો લઈ ગયા. ત્યારપછી પ્રભુ સિંહાસન પરથી ઊઠીને દેવજીંદામાં જઈને બેઠા. એટલે ગૌતમ ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને દેશના આપી. શ્રી વીરપ્રભુ કેટલાક દિવસ રહીને લોકોને પ્રતિબોધ કરી ત્યાંથી અન્યત્ર પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શ્રી વીર ભગવંત પાસે શ્રેણિક રાજાએ સમકિત વ્રત લીધું. અભયકુમારે શ્રાવકધર્મ સ્વીકાર્યો. અને મેઘકુમારે દીક્ષા લીધી. આર્દ્રકુમાર, ઋષભદત્ત, દેવાનંદા, જમાલી તથા પ્રિયદર્શનાએ પ્રવજ્યા અંગીકાર કરીને ભવસાગર પાર કરવા મક્કમ બન્યા. પ્રભુના દશ ઉપાસકો હતા. મૃગાવતી રાણીએ દીક્ષા લીધી અને મૃગાવતી તથા ચંદનબાળાને કેવળજ્ઞાન થયું જ્યારે ગોશાળે પ્રભુ પર તેજોલેશ્યા મૂકી હતી. તે તેજોલેશ્યા અસમર્થ બનીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને ગોશાળના શરીરમાં જ પેઠી. ત્યારે પ્રભુએ ગોશાળને કહ્યું : “તું આજથી સાતમે દિવસે તેજલેશ્યાથી થયેલ પિત્તજ્વરથી મૃત્યુ પામીશ.” અને એમ જ થયું. ગોશાળના ઉપાસકોએ મોટી સમૃદ્ધિથી તેનો અગ્નિસંસ્કાર કર્યો. ત્યાં ગૌતમ સ્વામીએ ગોશાળની ગતિ વિષે પ્રભુને પૂછ્યું ત્યારે શ્રી મહાવીર સ્વામીએ કહ્યું “તે અશ્રુત દેવલોકમાંથી અવીને શતદ્ધાર નગરનો રાજા મહાપા થશે. ત્યાં પ્રથમના સંસ્કાર નિષ્કારણ મુનિનો વૈરી બનીને સુમંગળ નામના મુનિને ઉપસર્ગ કરતા. તેમણે મૂકેલી તેજોવેશ્યાથી બળીને સાતમી નરકે જશે. ઘણો કાળ ભમીને દઢપ્રતિજ્ઞ કેવળી થઈને મોક્ષે જશે. શાલ મહાશાલ તથા પંદરસો ત્રણ તાપસોએ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સમય જતાં અનુક્રમે કેવળજ્ઞાન પામ્યા. ધના શાલિભદ્ર દીક્ષા લઈને આત્મકલ્યાણના માર્ગે ગયા. શ્રેણિક રાજાના મહામંત્રી અભયકુમારે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. એ સિવાય અનેક રાજાઓએ તથા શ્રાવકોએ દીક્ષા ચો. તી. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy