________________
૨૭૨
ચોવીશ તીર્થકર
અંગીકાર કરી. વ્યક્તિ અને સુધમાં પણ પાંચસો. પાંચસો શિષ્યોના પરિવાર સાથે આવ્યા તેમના પણ સંદેહ દૂર થતાં તેઓએ પણ દીક્ષા લીધી. મંડિક અને મૌર્યપુત્ર સાડા ત્રણસોના પરિવાર સાથે આવ્યો. એમનો સંદેહ દૂર થતાં દીક્ષા અંગીકાર કરી અકપિત, અચળભ્રાતા. મેતાર્યને પ્રભાસે ત્રણસો ત્રણસોના પરિવાર અનુક્રમે આવી સંદેહ દૂર થતાં દીક્ષા અંગીકાર કરી.
શ્રી વીરપ્રભુને કુલ અગિયાર ગણધરોને ચુંમાલીસ શિષ્યો હતા. તે વખતે ચંદનાએ દેવોને જતાઆવતાં જોવાથી પ્રભુને કેવળજ્ઞાન થયું જાણીને વ્રત લેવાની ઈચ્છા થતાં નજીકમાં રહેતા કોઈ દેવે તેને ઉપાડીને પ્રભુ પાસે મૂકી દીધી. ચંદનાની સાથે બીજી પણ સ્ત્રીઓ દીક્ષા અંગીકાર કરવા માટે તૈયાર થઈ. પ્રભુએ ચંદનાને અગ્ર રાખીને સર્વેને દીક્ષા આપી.
શ્રી વીરપ્રભુએ હજારો-શ્રાવક શ્રાવિકાઓને અણુવ્રત આપ્યાં. એ રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પછી પ્રભુએ ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર ગણધરોને ત્રિપદી કહી સંભળાવી. તેઓએ બાર અંગ ચૌદ પૂર્વની રચના કરી. છેલ્લા ચાર ગણધરોમાં બબ્બેની વાચના સરખી હોવાથી નવ ગણ થયા. ઇન્દ્ર તત્કાળ સુગંધી રત્ન ચૂર્ણથી પૂર્ણ પાત્ર લઈને પ્રભુ પાસે ઊભા રહ્યા. એટલે ઇન્દ્રભૂતિ વગેરે ગણધરો પણ પ્રભુની અનુજ્ઞા લેવા મસ્તક નમાવીને ઊભા રહ્યા.
શ્રી વીરપ્રભુએ તેમના મસ્તક ઉપર ચૂર્ણ નાખતાં કહ્યું : દ્રવ્યગુણ અને પર્યાયથી તમને તીર્થની અનુજ્ઞા છે. ત્યારે દેવોએ પ્રસન્ન થઈને ચૂર્ણ તથા પુષ્પોની વૃષ્ટિ અગિયાર ગણધરો પર કરી. આ ચિરંજીવી થઈને ધર્મનો ચિરકાળ સુધી ઉદ્યોત કરશે એમ કહીને પ્રભુએ સુધમાં ગણધરને સર્વ મુનિઓમાં મુખ્ય કરીને ગણની અનુજ્ઞા આપી અને સાધ્વીઓમાં ચંદનાને પ્રવર્તિની પદે સ્થાપિત કરી.
પ્રથમ પૌરિષી પૂર્ણ થતાં શ્રી મહાવીર સ્વામીએ દેશના સમાપ્ત કરી. એટલે રાજાએ તૈયાર કરાવેલ બળી પૂર્વ દ્વારથી સેવક પુરુષો લાવ્યા. તે બળી આકાશમાં ઉડાડતાં તેમાંથી અડધી બળી આકાશમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org