________________
પ્રકાશકનું પુરવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને તે માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાના પુસ્તક અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાને ઉપરાંત એપ્રિલ, ૧ ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે.
આ યોજનામાં રાજયની યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને અન્ય વિદ્વાને દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતા પાઠ્યપુસ્તક અને સંદર્ભ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે.
આ યોજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના ભારતીય સંસ્કૃતિ વિષયના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથે આપવાની વ્યવસ્થામાં જનમૂર્તિવિધાન પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ. આનંદમાં ઉમેરે એ વાતે થાય છે કે પુસ્તકનાં લેખિકા - પ્રિયબાળા શાહ આ વિષયના જ્ઞાતા છે અને એમણે પિતાના જ્ઞાન અને અનુભવને લાભ વિદ્યાર્થીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ ડે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીને આભાર માનું છું.
ગુજરાતનું મૂર્તિવિધાન એ પ્રકાશનમાંથી કેટલાંક ચિત્રોને ઉપયોગ કરવાની પરવાનગી આપવાના સૌજન્ય માટે ગુજરાત વિદ્યાસભાના આભારી છીએ.
આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે, અને એ બધાને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,
જે. બી. ડિલ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬
અધ્યક્ષ ડિબર, ૧૯૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org