SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४७ પંચેન્દ્રિય અસંજ્ઞી સુધી પણ અશુભધ્યાનનું ફળ કસવ વર્તતું હોવાને લીધે, તેમને પણ ચાર આર્તધ્યાન અને ચાર રૌદ્રધ્યાન પ્રશ્ન ૨૮ : ઉક્ત સોળ ધ્યાનમાંથી કયા ધ્યાન સંસારના કારણ છે અને કયા ધ્યાન મેક્ષના કારણું છે? ઉત્તર : ચાર આર્તધ્યાન અને ચાર રૌદ્રધ્યાન તે સંસારના કારણ છે. ચાર ધર્મધ્યાન યદ્યપિ મુખ્યતાથી પુણ્યબંધના કારણે છે તથાપિ પરંપરા મુક્તિના કારણે છે. ચાર શુકલધ્યાનમાં છેલ્લા ત્રણ તો સાક્ષાત્ મુક્તિના કારણુ છે અને પૃથકવિતર્ક વીચાર પણ સાક્ષાત્ મુક્તિનું કારણ છે. પરંતુ ચારિત્રમેહના ઉપશમક સાધુઓને ચારિત્રમેહ ઉપશમ થવાને કારણે આ ધ્યાન ઉત્પન્ન થતાં ચારિત્રમેહને ઉદય અવશ્ય સંભવત હોવાથી આ સ્થાન પ્રતિપાતિ થઈ જાય છે. પ્રશ્ન ર૯ઃ ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિ માટે શું કર્તવ્યરૂપ છે? ઉત્તર : જોયેલા, સાંભળેલા અને અનુભવેલા સમસ્ત વિષયના વિકલ્પને ત્યાગ કરે જોઈએ. પ્રશ્ન ૩૦ : વિકલ્પને ત્યાગવાને શું ઉપાય છે? ઉત્તર : પ્રથમ તે પદાર્થોનું સ્વરૂપ જાણવું જોઈએ. ત્યાર પછી ભેદજ્ઞાન ઉત્પન્ન કરીને તે ભેદજ્ઞાન દ્વારા સમસ્ત પરપદાર્થોથી ભિન્ન નિજાત્મતત્ત્વની શ્રદ્ધા કરવી જોઈએ. આ આત્મતત્વની પ્રતીતિના બળથી સહજ આનંદને અનુભવ થાય છે. આને જ નિર્વિકલ્પ સ્વને અનુભવ અથવા આત્માનુભૂતિ કહે છે. આ આત્માનુભવની સન્મુખ થવું તે વિકલ્પને ત્યાગ કરવાને અમેઘ ઉપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy