________________
गाथा १४
પ્રશ્ન ર૬ : અનંતસુખ કેને કહે છે?
ઉત્તર : આકુળતાને અત્યંત અભાવ થવે તેને અનંત સુખ કહે છે. તેનું બીજું નામ અવ્યાબાધ પણ છે.
પ્રશ્ન ૨૭ : અનંતસુખ કેવી રીતે પ્રગટ થયું ?
ઉત્તર : નિજ સહજશુદ્ધ આત્મતત્વના સંવેદનથી પ્રગટ થયેલાં આનંદ અનુભવના ફળસ્વરૂપે આ અનંતસુખ પ્રગટ થયું.
પ્રશ્ન ૨૮ : અવગાહન કેને કહે છે?
ઉત્તર : એક સિદ્ધના ક્ષેત્રમાં બીજા અનંતસિદ્ધોનું અવગાહન પણ થઈ જાય તેવા સામર્થ્યને અવગાહન કહે છે.
પ્રશ્ન ૨૯ : આ અવગાહતત્વ કેવી રીતે પ્રગટયું?
ઉત્તર : અમૂર્ત, નિરાબાધ નિજચતન્યસ્વભાવની પહેલાં ભાવના અને ઉપાસના કરેલી તેના ફળસ્વરૂપે આ અવગાહનત્ત્વ પ્રગટ થયું.
પ્રશ્ન ૩૦ સૂફમત્વ કેને કહે છે?
ઉત્તર : કેવળજ્ઞાન દ્વારા જ જાણી શકાય તેવા અમૂર્ત પ્રદેશાત્મકરૂપ થવું તેને સૂક્ષ્મત્વ કહે છે.
પ્રશ્ન ૩૧ : આ સૂક્ષ્મત કેવી રીતે પ્રગટ થયું?
ઉત્તર : દ્રવ્યકર્મ, કર્મ અને ભાવકર્મોથી રહિત નિજ શુદ્ધાત્મતત્વના શ્રદ્ધાન-જ્ઞાન–આચરણથી આ સૂફમત્વ પ્રગટ થયું.
પ્રશ્ન ૩ર : અગુરુલઘુત્વ કેને કહે છે ?
ઉત્તર : સિદ્ધ–અવસ્થામાં રહેલાં સર્વ આત્માઓમાં ના કઈ જેનાથી મેટ હોય કે ના કેઈ જેનાથી નાનું હોય તેવી સરખી અવસ્થા જેના વડે પ્રાપ્ત થાય તેને અગુરુલઘુત્વ કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org