________________
સમાધિશતક-વિવેચન
૬૯
એમાં મોટો તફાવત થઈ ગયું છે. ત્યાં સુધી મનુષ્યની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇરછા, અને તે સંબંધી નિશ્ચયમાં દૃઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી; તેથી તે આજે ઘણું ક્ષીણપણું થયું છે, જો કે હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચછેદપ્રાપ્ત થઈ નથી, તેમ સપુરુષ-રહિત ભૂમિ થઈ નથી, તોપણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ.
આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિષે અખંડપણે વર્તે છે. જીવનને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિને ઉપાય એ જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાન પણાને પ્રાપ્ત થાય, તે જ તેને પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તે થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવને–ઘણા જીવને– પરમાર્થ સંબંધી જે માર્ગ, તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે, તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. અને તેનાં કારણે પણ ઉપર જણાવ્યાં છે. જે પુરુષનું દુર્લભપણું ચેથા કાળને વિષે હતું, તેવા પુરુષનો જગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તે તેમને જે પ્રારબ્ધ-પ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહે દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તો પણ તેને સત્સંગ રહે દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org