________________
પરમ કૃપાળુ દેવને નમોનમઃ સમાધિશતક-વિવેચન
(૧) પ્રાસંગિક अनुष्टुप्-नमोऽस्तु पूज्यपादाय समाधिस्वामिने त्रिधा ।
राजचंद्राय याचेऽहं, समाधिबोधि-साधनम् ।।१।। દોહરો_ધિ-સમાધિ જ યાચત, પ્રણમું શ્રી ગુરુરાજ,
પૂજ્યપાદ-શરણે ફળે, સફળ જીવન મુજ કાજ. ૧
ભાવાર્થ –“જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિ રૂપ, પરમ પૂજ્ય જેના ચરણારવિંદ છે, સહજ સમાધિને જે વર્યા છે, તથા સહજ સમાધિનું જેણે દાન દીધું છે એવા પરમોપકારી પરમ ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર દેવને મન, વચન, કાયાના ગે નમસ્કાર હે !
તન, મન, વચન અને આત્માથી અપશુબુદ્ધિ” કરી, સમાધિ-મરણના સાધનરૂપ સમાધિ-બધિમય પાથેય (ભાથું) મેક્ષ પ્રાપ્ત થતાં સુધી ચાલે તેવી યાચના ગુર્જર અનુવાદકે મંગલ ગાથામાં પ્રદર્શિત કરી છે.
બોધિ એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર એ ત્રણે આત્મ-સ્વભાવની એકતા અને તે દ્વારા આત્મપરિણામની ટકી રહેતી સ્વસ્થતાને સમાધિ કહી છે. એ દશા જેમને સહજ સ્વરૂપે રહ્યા કરે છે એવા મંગલમૂર્તિ પૂજ્ય ગુરુવર્ય શ્રીમદ્ રાજચંદ્રના પુનિત ચરણારવિંદમાં વંદન કરી તે જ દશાની પ્રાપ્તિ ઈરછી છે, તે જ જીવનની સફળતા માની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org