________________
૨૯૬
ગ્રન્થયુગલ
જ્ઞાની પુરુષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે, પરમ ઉપગદ્રષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વાક્યો જિનાગમને વિષે છે. ઘણું છે તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવે તે કવચિત્ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજી વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેનાં પરિણામમાં આવતાં તેને વખત લાગતે નથી, કારણ કે અનાદિકાળથી મેહ નામને મદિરા તેના આત્મામાં પરિણામ પામે છે, માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવીર્થે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું યંગ્ય છે.”
“જેને વિષે સસ્વરૂપે વર્તે છે એવા જે જ્ઞાની તેને વિષે લેક–પૃહાદિને ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ.”
–શ્રીમદ્ રાજચન્દ્ર “આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર - હવે અનુવાદક તથા વિવેચક ગ્રંથને ઉપસંહાર કરતાં લખે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org