SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ૨૪૫ કરવા તેનાં કારણેા રૂપ શુભ અશુભ પ્રવૃત્તિના પણ ત્યાગ કરવા ઘટે છે : ~ अपुण्यमव्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः । अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत् ॥८३॥ અપુણ્ય અતે, પુણ્ય, -વ્રત, મેાક્ષ દ્વય-યે; ત્રતા ય અત્રતા પેઠે, મૂકે મેાક્ષાશયી થયે. ૮૩ ભાવાર્થ :— આ સંસાર દુઃખના દિરયા છે, એવા અનેક જ્ઞાની, વિચારવાન જીવેાના અભિપ્રાય છે. દુઃખનું કારણ મુખ્યપણે પાપ છે. પાપ એટલે શુભ કે પુણ્યમાર્ગના માટે ભાગે ત્યાગ છે. અજ્ઞાન કે મિથ્યાત્વ જેવું એકે પાપ નથી. અજાણ્યા અને આંધળે ખરાબર છે એમ કહેવાય છે, તેનું કારણ પણ એ જ છે કે મિથ્યાત્વરૂપી મદિરાના છાથી જીવ ઉન્મત્ત બન્યા હાય, ત્યારે કયું પાપ ન કરે ? અજ્ઞાન દશામાં જીવને વિપરીત રુચિ ડાય છે. તેથી પેાતાના હિતના માર્ગ તેને સૂઝતા નથી કે ગમતા પણ નથી, પાપમાર્ગમાં તેને પ્રીતિ થાય છે. તેનું શું ફળ આવશે તેના વિચાર, મિથ્યાત્વના બળ આગળ, આવતા નથી. આમ પાપ-પ્રવૃત્તિ માટે ભાગે સંસારમાં હોય છે. શુભ પ્રવૃત્તિ દેખાય છે ત્યાં પણ અંતરમાં વાસના કે લક્ષ તે। અશુભની પ્રિયતાના હાય છે; તેથી જે પુણ્યના ઉય દેખાય છે, તે માટે ભાગે પપાનુબંધી પુણ્યના જ હોય છે. તેથી પુષ્યના ઉદયમાં પણ પાપ બંધાય તેવી જીવની રુચિ અને પ્રવૃત્તિ જોવામાં આવે છે. તે જોઈ જ્ઞાની પુરુષા ભવથી ખેદ પામે છે અને ફ્રી આવા સંસારમાં જન્મવું જ ન પડે તે અર્થે મેાક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. આ જ્ઞાની પુરુષોના સંમત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy