________________
૨૩૮
ગ્રન્થ–યુગલ બાહ્યમાં અનાદિ અભ્યાસના સંસ્કારે સુખ ભાસે છે તે વિષયને પ્રસંગ ચલે છે. પરંતુ આ ગાથામાં જગતના વિકલ્પ જ્યાં સુધી જ્ઞાની પુરુષને આવે છે ત્યાં સુધી દયા ભાવની ફુરણાથી જગત દુઃખી, બેભાન અને વ્યર્થ પ્રવૃત્તિમાં મગ્ન લાગે છે. તે દુઃખનું કારણ અજ્ઞાન છે, એમ તેમને સમજાય છે અને તે અજ્ઞાન જગત જીવનું દૂર થાય તે અર્થે બોધ આદિ પ્રવૃત્તિના ભાવ પણ સ્ફરવાનો સંભવ છે. ત્યાં સુધી વીતરાગતાની પૂર્ણતા નથી એમ આ ગાથામાં ગ્રંથકાર દર્શાવે છે. વીતરાગતા, આત્મદ્રષ્ટિના અત્યંત સેવનથી, પૂર્ણ પણે પ્રગટતાં કેઈ પણ વિકલ્પ જગત સંબંધી પછીથી તેમને
સ્ફરતે નથી. કાષ્ઠ કે પથ્થરને જેમ દુઃખ, સુખનું ભાન નથી, તેથી સામાન્ય જીવોને તેની દયા આવતી નથી, કે તેને સુખી કરવા કોઈ ઇચ્છતું નથી, તેમ સંપૂર્ણ વીતરાગને આ દુઃખી છે, તેથી તેને સુખી કરવા કંઈ કરવું, કહેવું કે પ્રેરવું એમ થતું નથી. અન્યનાં સુખ–દુઃખ જાણવા છતાં નિર્વિકલ્પ જ્ઞાન હોવાથી મેહના વિકલ્પ પરમાર્થને નામે પણ ઉદ્ભવતા નથી. કારણ કે મોહનીય કર્મને તેમણે ક્ષય કરેલ છે, એટલે સત્તામાં જ જે કર્મ નથી, તેને ઉદય ક્યાંથી થાય ?
“નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્ય કર્મ કરીને તે ઉપશમ જેવી થઈ; પણ કોઈ કોઈ લેકે પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલે, અને આ બાજુ તે સંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org