________________
૧૫૦
ગ્રન્થયુગલ
નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન, જ્ઞાનીપુરુષની શ્રદ્ધારૂપે થાય છે. વડનાં બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે.” —શ્રીમદ્ રાજચંદ્ર હવે કર્મના ઉદયે રાગદ્વેષ થઇ આવે ત્યારે આત્માથીએ કેમ વર્તવું તે દર્શાવવા ગ્રંથકાર શાંતિના ઉપાય દર્શાવે છેઃयदा मोहात्प्रजायेते रागद्वेषौ तपस्विनः । तदेव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥ ३६ ॥ તપસ્વીને કી મેહે, રાગદ્વેષ જણાય જો; ભાવજો સ્વસ્થ આત્મા તા, ક્ષણમાં શાંતિ પામશે. ૩૯
ભાવાર્થ :-- બધા તપસ્વી કે મુનિ આત્મજ્ઞાની હાતા નથી. પરંતુ ત્યાગદશા નિવૃત્તિમય હોવાથી, સત્સંગ-સત્પુરુષના યેગ તે દશામાં સુલભ હેાવાથી, સત્શાસ્ત્ર આદિને પરિચય વિશેષપણે સંભવત જાણી ગ્રંથકાર ભલામણ કરે છે કે તપસ્વી વા ત્યાગીને માહના ઉદયે રાગ-દ્વેષ કુરે કે તરત જો સ્વસ્થ આત્મા અથવા સ્થિતપ્રજ્ઞ દશાની ભાવના તે કરે, તો ક્ષણવારમાં રાગ-દ્વેષ શમાઇ જાય છે એવા અનુભવ ગ્રંથકાર પ્રગટ કરે છે.
જે જે સમજ્યા, તેણે તેણે ‘મારું તારું' એ આદિ અહંત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કેાઇ પણ નિજ સ્વભાવ તેવા દીઠા નહીં; અને નિજ સ્વભાવ તે અચિંત્ય અત્યાખાધસ્વરૂપ, કેવળ ન્યારા જોયા એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે' એ આફ્રિ કહેવાનું અનવારૂપ વ્યવહાર, વચનાદિ યાગ સુધી ક્વચિત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org