________________
સમાધિશતક-વિવેચન
૧૩૯ બાષભદેવને શરણે જવા પ્રયાણ કર્યું રસ્તામાં વળી વિચાર આવ્યો કે શ્રી ઋષભદેવ ભગવાન પાસે મારા નાના ભાઈએ મુનિપણે રહ્યા છે, તેમને મારે વંદન કરવું પડશે; જે કેવળજ્ઞાન પ્રગટાવી ત્યાં જાઉં, તે વંદન કરવું પડે નહીં, એમ વિચારી વનમાં જ કાર્યોત્સર્ગ ધ્યાને તે ઊભા રહ્યા. શિયાળાની સખત ઠંડી નગ્ન દેહે સહન કરી, ઉનાળાને સખત તાપ તે જ જગાએ ઊભા ઊભા સહન કર્યો, જેમાસાને ધોધમાર વરસાદ, સખત શરદી થાય તેવાં ઝાપટાં શરીર હલાવ્યા વિના સાં, બાર માસ ભૂખે પેટે એક આસને ઊભા ઊભા શરીરની કંઈ કાળજી રાખ્યા વિના અનેક પ્રાણુંએના ઉપસર્ગ સહન કર્યા, આવું ઉત્કૃષ્ટ બાહ્ય તપ કર્યો છતાં માનથી થતી મલિનતા ટળી નહીં, કેવળજ્ઞાન પ્રગટ થયું નહીં. લેકમાં મુનિ ભારે તપ કરે છે એમ પ્રસિદ્ધિ થઈ. શ્રી રાષભદેવજીને બાહુબલીજીનાં બહેન શ્રી બ્રાહ્મી અને શ્રી સુંદરી આર્યાઓએ પૂછયું કે શ્રી બાહુબલી મુનિને કેવળજ્ઞાન ક્યારે પ્રગટશે ? ભગવાને કહ્યું કે જ્યારે તમે જઈને કહેશે કે “વીરા મારા, ગજ થકી હેઠે ઊતરે ત્યારે પિતાની ભૂલ જોઈ તે ટાળશે, પછી કેવળજ્ઞાન પ્રગટશે. બનેએ શ્રી બાહુબલીજી પાસે જઈ તેમ કહ્યું એટલે તે વિચારમાં પડી ગયા કે મેં તે રાજ્યપાટ તર્યું છે અને
આ આર્યાએ ગજથી ઊતરવાનું કહે છે. તે જૂઠું બોલે નહીં. ત્યાં વિચાર સ્ફર્યો કે હું ભગવાન પાસે કેમ ન ગયે ? માનને લીધે, એમ ઉત્તર મળતાં તે માનશત્રુને હણવા બાહુબલીજીએ વિચાર્યું. જઈને નાના ભાઈઓને પણ વંદન કરું એમ ધારી પગ ઉપાડે છે, ત્યાં કેવળજ્ઞાન પ્રગટયું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org