________________
૧૦૬
ગ્રન્થ–યુગલ રૂપમાં પડ્યો પડ્યો “હું કેણ છું ?' તેને વિચાર કરી મેં મારું ઓળખાણ ન કર્યું.
પોતાનું સ્વરૂપ જેણે જાણવું હોય, બહિરાભપણું ત્યાગવું હોય તેણે પાંચ ઇંદ્રિયદ્વારા ભગવાતા ભેગે પ્રત્યે અનાસક્તિરૂપ વૈરાગ્યને અભ્યાસ પ્રથમ કર્તવ્ય છે. ભેગેની જે મીઠાશ જીવને વર્તે છે, તે ટાળવા માટે સદ્દગુરુને બેધ, સન્શાસ્ત્રનું શ્રવણ, વાચન, વિચાર, સત્સંગ આદિ સામગ્રી મેળવવી. વિષયથી જન્મતી પરાધીનતા, તેની ક્ષણિક્તા, તૃષ્ણા ઉત્પન્ન કરાવી જીવને દુઃખસમુદ્રમાં ગબડાવી પાડવાની શક્તિ, કર્મબંધ કરાવી જન્મમરણ ઊભા થવાનું કારણ તથા સર્વથી મોટી હાનિ પોતાને વિચાર જ ન થવા દે તેવી વિષયેની નવી નવી રમત છે. આ બધાને વિચાર, ચર્ચા અનેક વાર થતાં જીવને પચેન્દ્રિયના વિષયે અપ્રિય, બાધર્તા, આત્મરેધક સમજાય છે, ત્યારે તે પ્રત્યે અભાવ થઈ, વિષયના આનંદને બદલે સત્સંગ, સત્પરુષ, સલ્ફાસ્ત્ર, સવિચાર એ આનંદનાં સાધન સમજાય છે, તેની રૂચિ, પ્રીતિ, ઉત્સુકતા જાગે છે. સત્સંગે આજ્ઞા કે સત્સાધનની પ્રાપ્તિ થાય, તેની ઉપાસનામાં જીવને આનંદ આવે છે. આમ બહિરાત્મતા ટળી, અંતરાત્મદશાને પ્રભાતકાળ પ્રગટે છે, ત્યારે પરમાત્મદશા પ્રગટાવવાની જીવને મહેરછા ઊગે છે, તે સંતોષવા સદ્દગુરુ અંતરાત્માને યેગમાર્ગ કે મેક્ષમાર્ગ પ્રકાશક વાર્તા કહે છે :
एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशंषतः । एष योगः समासेन प्रदीपः परमात्मनः ।।१७।। બાહ્ય વાણી તજી આવી, અંતર્વાચા તને પૂરી; સમાસે ગ–વાર્તા આ, પરમાત્મા પ્રકાશતી. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org