SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ગ્રન્થ-યુગલ આમ આચાર્યને સમજાયાથી નિષ્કારણ કરૂણાશીલ સ્વભાવવાળા ભગવંત આચાર્ય બહિરાત્મદશાવાળા જીવને સમજાવે છે : “હે જીવ ! આમ તે ઘણી થઈ, હવે ભ. દેહ તે જ હું એવી બુદ્ધિ આ બધાં સંસારનાં દુઃખનું મૂળ છે, માટે તે બુદ્ધિ હવે ભલે થઈને છેડ એટલે બહિરાત્મપણું પણ છૂટશે. હવે અંતરમાં પ્રવેશ કરે; આ દેહમાં વિચાર કરનાર બેઠે છે, તે દેહથી ભિન્ન છે, એમ માન; તે સુખી છે કે દુઃખી તેનો વિચાર, સદ્ગુરુને ઉપદેશ પ્રાપ્ત કરી, કરે. વિચાર કરતાં તે દુઃખી છે એમ સમજાશે. દુઃખનું કારણ હું દેહ છુંએ બુદ્ધિ પ્રતીત થશે. તે તજી દેહથી હું ભિન્ન છું અને ઇંદ્રિયની પ્રવૃત્તિ કરનાર હું છું એમ તને સમજાશે. ઇંદ્રિયેની બાહ્ય પ્રવૃત્તિ ઓછી કરી, દેડ અને ઇદ્રિના સ્વામીરૂપ પોતાના સ્વરૂપ તરફ અંતરમાં વૃત્તિ વારંવાર વાળવા પુરુષાર્થ કર.” આવા ભાવાર્થને ઉપદેશ, આટલે ઉપદેશ ધ્યાનપૂર્વક સાંભળનાર બહિરાત્મા પ્રત્યે, દયાળુ આચાર્ય કરે છે. તે ઉપદેશ પોતાને કરે છે, દેહને તો ઉપદેશ, આચાર્ય જેવા જ્ઞાની પુરુષ કરે નહીં, કેમકે દેહ તે જડ છે, દેહમાં જાણનાર તે હું છું; માટે મારે મારે વિચાર હવે કરે, એમ બહિરાત્માને આચાર્યના ઉપદેશથી જાણે લાગ્યું હોય તેમ પિતાને પોતાનું ઓળખાણ આટલા કાળ સુધી ન થયું તેને ખેદ આશ્ચર્ય સહિત બહિરાત્માને થાય છે, તે જણાવવા, બહિરાત્માના મુખમાં પિતાની ભૂલ દર્શાવતાં વચને ગ્રંથકાર मत्तश्च्युत्वेन्द्रियद्वारः पतितो विषयेष्वहम् । तान्प्रपद्याहमिति मां पुरा-वेद न तत्त्वतः ॥१६।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy