________________
૯૪
ગ્રન્થયુગલ તે આત્માએ પીધી છે તેના કેફથી બીજાના આત્માને ભૂલી તેના દેહને જ બીજાનું સ્વરૂપ કપી, તેમ જ બકે છે.
જેમ કેઈ સ્ત્રીને તેના પતિને શત્રુ મરી ગયેલે ભૂત થઈને વળગે, ત્યારે તેને કઈ પૂછે કે “તું કેણ છે? તે તે બાઈ બોલે કે “હું ફલાણું છું.” “ક્યાં રહે છે એમ પૂછે છે કે “પીંપળે.” તેના પતિને બતાવીને પૂછે કે “આ કોણ છે ? તે કહે કે “એ મારે શત્રુ છે.”
આમ દેહભાવરૂપ શત્રુ આ જીવને વળગે છે. તેથી દેહને હું માને છે, અન્યના દેહને અન્યનું સ્વરૂપ માને છે, કહે છે અને પ્રવર્તે છે. પણ આ મૂઢ દશા છે એમ ગ્રંથકાર કહે છે. તે ઉન્મત્ત દશા તજી જ્ઞાની પુરુષોએ જે આત્માનું યથાર્થ સ્વરૂપ જાણ્યું છે, અનુભવ્યું છે અને નિષ્કારણ કરુણાથી પ્રકાર્યું છે, તે જાણવા, માનવા અને પિતાનું સ્વરૂપ અનુભવી અનાદિકાળની ભૂલથી રહિત થઈ, સુખી થવા ગ્રંથકાર ઉપદેશ કરે છે.
“જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણું થઈ, અરે ! જીવ, હવે થંભ, એ નિર્વેદ.'
-શ્રીમદ્ રાજચંદ્ર આમ પિતાને સમજાવી, બહિરાત્મપણાનું ફળ પરિભ્રમણ, જન્મમરણરૂપ સંસાર છે એમ નિર્ણય કરી, જીવે પાછું હઠવું ઘટે છે.
“માહાસ્ય જેનું પરમ છે, એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા.” -શ્રીમદ્ રાજચંદ્ર
આવી “પરમ દુર્લભ શ્રદ્ધા જીવને પ્રાપ્ત થયે બહિરાત્મદશા ટળે છે અને પોતે પોતાના ભાનમાં આવે છે, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org