________________
ગ્રન્થ-યુગલ રૂપ કુઅવધિજ્ઞાન (વિભંગ) બધા બહિરાત્માઓને ત્યાં હોય છે, તે પણ પોતાના પૂર્વના શત્રુઓને શોધી કાઢી વૈર લેવામાં જ વપરાય છે. આમ બધા જ આવી ભાવનાવાળા હેવાથી કોઈને ત્યાં સુખ સંભવતું નથી. આવી દુઃખદ દશામાં પણ જીવને “દેહ તે જ હું છું, અને બીજાને દેહ દેખાય છે, તે જ એનું સ્વરૂપ છે એવી ભ્રાંતિ કાયમ રહે છે. કેઈક ભાગ્યશાળી જીવને જ, તેવા વિભંગ જ્ઞાનને પ્રભાવે પોતાના પૂર્વભવ સાંભરતાં, વાસુદેવ આદિ પદવીની પ્રાપ્તિ કરી માત્ર બેગ ભેગવવામાં જ આયુષ્ય વ્યતીત કર્યું અને આત્માનું કલ્યાણ ન કર્યું તે આવા દુઃખદ દેહ અને સ્થાનની પ્રાપ્તિ થઈ છે એવા પશ્ચાત્તાપે પોતે દેહથી ભિન્ન છે એવું મહાપુરુષેએ ઉપદેશેલું યાદ આવતાં બ્રાંતિ ટળી આત્મજ્ઞાનની પ્રાપ્તિ નરક જેવા સ્થાનમાં પણ થાય છે.
ત્યારે તેને દેહથી ભિન્ન પોતાનું ખરું સ્વરૂપ શું છે તેના વિચારે સંપૂર્ણ પદનું સ્મરણ થાય છે.
અનંતાનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણસંપન્ન, પોતાને પોતાને અનુભવ થાય છે તથા સંપૂર્ણપણે સર્વ કાળ રહી શકે તે અચળ આત્મા પોતે છે, છતાં બહિરાત્મદશામાં તેને આત્માનું માહાત્મ્ય કંઈ ભાસતું નથી. દેહ જ કેઈ અપૂર્વ વસ્તુ લાગવાથી મૂઢપણે તેની સંભાળ આપે ભવ જીવ કર્યા કરે છે, છતાં તે નાખી દઈ એકલા જવું પડે છે તેનું તેને સચોટ ભાન થતું નથી. અંધકારને ડાંગ મારવાથી, વાળી કાઢવાથી કે તેવા અયથાર્થ ઉપાયથી દૂર કરાતા નથી; માત્ર પ્રકાશથી જ તે દૂર થાય છે, તેમ દેહાધ્યાસ ટાળવા માટે માત્ર સદ્ગુરુને યેગ, તેને નિશ્ચય અને તેના માર્ગનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org