________________
સમાધિશતક-વિવેચન
તેથી પ્રક્ષણ ચારિત્ર મોહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ અવસર એવો કયારે આવશે?”
–શ્રીમદ્ રાજચંદ્ર અંતરાત્મા ક્રોધ, માન માયા, લેભરૂપ કષાય નિવારવાને પુરુષાર્થ કરે છે અને શુદ્ધ સ્વરૂપના ધ્યાનના બળે ચાર ઘાતકર્મોને ક્ષય કરી તે કેવળી ભગવાન અત્યંત નિર્મળ બને છે. તે સદેહી પરમાત્મા કહેવાય છે અને આયુષ્ય પૂર્ણ થયે બાકીનાં ચાર કર્મો છૂટી જતાં વિદેહી, સિદ્ધ પરમાત્મા મેક્ષમાં વિરાજે છે.
આમ ત્રણે આત્માની દશાઓ વર્ણવી, આગળની ગાથામાં પરમાત્મદશાના નામનું કીર્તન કરે છે :–
निर्मलः केवलः शुद्धो विविक्तः प्रभुरव्ययः । परमेष्ठी परात्मेति परमात्मेश्वरो जिनः ।।६।। પરમાત્મા, પ્રભુ શુદ્ધ, નિર્મલ કેવલ વળી; વિવિક્ત અવ્યય જિન, પરાત્મા પરમેશ્વરી. ૬
ભાવાર્થ – જેના અંતરંગમલરૂપ ક્રોધ, માન, માયા, લેભ, મિથ્યાત્વ, રતિ, અરતિ, અવિરતિ આદિ દૂર થયાં છે, તથા કર્મ, દેહ આદિ બાહ્યમલ ટળ્યા છે એવા ભગવાન નિર્મળ કહેવાય છે.
માત્ર આત્મસ્વરૂપે રહેલા. પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન એકલા સ્વ-સ્વરૂપમાં અખંડપણે રમણ કરતા ભગવાન કૈવલ્ય દશાવાળા કેવળી ગણાય છે. આ વિભાવરૂપી અશુદ્ધતા જેની ટળી છે; દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મથી રહિત થયા છે તે પરમ શુદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org