________________
સમાધિશતક-વિવેચન
૮૩ પણ તેને લક્ષ ન ચુકાય તેવી ભેગી ભેગી સૂચના મળતી રહે તેમ વર્ણન કર્યું છે. પરમાત્મસ્વરૂપ કે અંતરાત્મસ્વરૂપના વર્ણનમાં પણ તે જ લક્ષ વાંચનારને રહે અને પૂર્વના દોષથી કે પ્રમાદથી અંતરાત્માપણું છૂટી જઈ બહિરાત્મપણું જીવ પામી જાય તે સંભવ જણાવી ગ્રંથકાર અભ્યાસીને ચેતાવતા રહે છે. હવે આત્માન ત્રણે દશાનાં લક્ષણ ગ્રંથકાર પ્રકાશે છે – बहिरात्मा शरीरादौ जातात्मभ्रान्तिरान्तरः । चित्तदोषात्मविभ्रान्तिः परमात्माऽतिनिर्मलः ।।५।। બહિરાત્મા ગણે આત્મા, દેહાદિને જ ભ્રાંતિથી; અંતરાત્મા તજે ભ્રાંતિ, ચિત્ત દોષ સ્વરૂપની. "
ભાવાર્થ – અનાદિકાળથી જીવને કર્મને સંબંધ છે, કર્મના ભેગે દેહને સંબંધ પ્રાપ્ત થાય છે, દેહ ઇંદ્રિય સહિત હોય છે, તથા ઐહિક સુખદુઃખ ભેગવવાનું તે સાધન છે. દેહ આદિ રૂપી પદાર્થ હોવાથી, ઇન્દ્રિય દ્વારા પ્રગટ થતા હોવાથી, જીવ તે રૂપ પિતાને અનાદિકાળથી માનતો આવ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર જણાવે છે : “પણ સ્વમદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વરૂપ યોગે આ જીવ પિતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નાદિ ગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે, અને એ જ નિવૃત્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org