________________
સમાધિશતક-વિવેચન
૭૧ એક વખતે શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા ગાંધીજીને કહેલું કે કોઈ મને ચારે બાજુથી બરછીએ ભેંકે તો તે દુઃખ સહન કરું પણ આ કુગુરુઓના પંજામાં સપડાયેલા જીવને જોઈને થતું દુઃખ સહન થતું નથી.
શ્રી “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તેઓશ્રીએ શરૂઆતમાં જ જણાવ્યું છે :
“વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોખ. કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક–જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષને, કરુણા ઊપજે જોઈ.”
એક સ્થાનકવાસી સાધુ શ્રી લલ્લુજી (શ્રીમદ્ લઘુરાજ સ્વામી) શ્રીમદ્ રાજચંદ્રના સમાગમમાં આવેલા, તેમને સમાગમ વિશેષ થાય તે અર્થે સંવત ૧૯૪૯માં તે મુંબઈમાં ચાતુર્માસ રહેલા. તેમની ગ્યતા જાણી શ્રીમદ્ રાજચન્દ્ર તેમને “સમાધિશતક શાસ્ત્રનું ગુજરાતી ભાષાંતર સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વારા થયેલું, અભ્યાસ કરવા અર્થે ભેટ આપ્યું હતું. તે પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર સ્વહસ્તે લખી આપેલું : “આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.” ત્રણ વર્ષ સુધી મુખ્યપણે મૌન સેવી તે પુસ્તકને શ્રી લઘુરાજ સ્વામીજીએ અભ્યાસ કરી, તે ભાવે પચાવ્યા; અનેક પરિષહના પ્રસંગમાં તે અધ્યાત્મભાવ ટકાવી આત્મસિદ્ધિને પામ્યા
આમ અનેક જીવને કળિકાળની ઝાળથી બચાવવા જેમનું હૃદય સદાય તત્પર હતું એવા એ અધ્યાત્મવીરને નમસ્કાર કરી, સ્મરણ અંજલિ અપી, આ “સમાધિ શતક”ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org