________________
જૈન ધર્મને પરિચય
ગણાય. અર્થાત મુખ્ય જીવ અને કર્મના હિસાબે અથવા તે સ્વભાવથી એટલે કે કુદરતી રીતે નવી નવી ઉત્પત્તિ અને વિનાશ થાય છે.
મૂળ છ દ્રવ્ય અવિનાશી છે. એમાં અવસ્થાએ બદલાયા કરે છે. અર્થાત ઉત્પાદુ વ્યય અને ધ્રૌવ્યની મહાસત્તાને અનુભવતા દ્રવ્યોમાં અવસ્થા-પર્યાયનું પરિવર્તન જે થયા કરે છે, એ જ વિશ્વનું સંચાલન છે.
પ્ર- અહીં છ દ્રવ્યોમાં પૂર્વે ધર્માસ્તિકાય કહ્યો, એમાં અસ્તિકાય એટલે શું? અને અસ્તિકાય કોણ કેણ છે?
ઉ – અતિ એટલે અંશ-પ્રદેશ.(અવયવ). કાય એટલે સમૂહ. જે દ્રવ્ય અનેક પ્રદેશના સમૂહમય હોય તેનું નામ અસ્તિકાય. દા. ત. ધર્મ નામનું દ્રવ્ય લેકવ્યાપી એક દ્રવ્ય હોવા છતાં તે સમસ્ત નહિ, પરંતુ પિતાના અમુક અમુક અંશથી ત્યાં રહેલા જીવ કે પુદ્ગલને ગતિમાં સહાય કરે છે, એથી એમાં અંશ સાબિત થાય છે.
અસ્તિકાય પાંચ છે. જીવાસ્તિકાય, પુદ્ગલારિતકાય, આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. પુદ્ગલ દ્રવ્યમાં અંશે છુટા પડી પણ શકે, અને બાકીનામાં અંશે છૂટા ન પડી શકે. પરંતુ જેમાં અંશ-પ્રદેશ હોઈ શકે તેનું નામ અસ્તિકાય.
કાળ જ્યારે જુઓ ત્યારે માત્ર વર્તમાન એક સમયરૂપ જ મળે, સમૂહ ન મળે, તેથી કાળ એ અસ્તિકાય નથી. વળી એક અપેક્ષાએ કાળ એ જીવાદિ દ્રવ્યને જ પર્યાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org