________________
જગતનું સર્જન અને સંચાલન
કાળની પરિસ્થિતિ પ્રત્યક્ષ નિહાળે છે, અને વીતરાગ હેવાથી જુઠ બોલાવનારા કારણે રાગ દ્વેષ વગેરે એમને છે નહિ. તેથી જીવ, અજીવ, વગેરે તો ક્યા ક્યા? અને જીવની અવનતિ–ઉન્નતિ કેમ થાય છે? તથા ધર્મનું સ્વરૂપ શું છે?.... ઈત્યાદિ બરાબર જોયા પ્રમાણે જ કહે છે. શુદ્ધ ધર્મથી જ સાચું સુખ ને સદ્ગતિ :
એ એ ધર્મ બતાવે છે કે જેના સેવનથી, જેની આરાધનાથી પ્રત્યક્ષમાં પણ દે, દુષ્કૃત્યો અને આર્તધ્યાન ઘટી આત્મામાં કમસર વિકાસ થતે દેખાય છે, આંતરિક સાચી સુખશાંતિ વધે છે, તેમજ ભવાંતરે ય સદુમતિ તથા આરાધનાની સારી સામગ્રી પ્રાપ્ત થાય છે, અને ત્યાં અધિક ધર્મ-આરાધના કરતે જીવ આગળ વધે છે.
આ શુદ્ધ ધર્મને પ્રારંભ વૈરાગ્યથી થાય છે. વૈરાગ્ય એટલે સંસાર અને ઇન્દ્રિયના વિષયે પ્રરે નફરત, અરુચિ, કંટાળે, ભય, વ્યથા. વૈરાગ્યની ભાવના :
મનને એમ થાય કે “આ વારંવાર જનમવું-મરવું એ શું? આ શરીરરૂપી પુદ્ગલના લેચા મેળવવા ને એને વધારવાની જ વેઠ કરવી, પાછાં એ ખેવાઈ તા જવાના જ, તેય જીવનમાં અનેકાનેક પ્રકારની જડ વિષની ગુલામી ક્ય કરવી? અને એવી ગુલામી કરવાથી સરવાળે શું, તે કે અહીંથી ડીસમીસ થાઓ. મરીને ચાલ્યા જાવ. આ બધું શું? શું વિટંબણું જ સંસાર? કે આ સંસાર?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org