________________
२८४
જૈન ધર્મને પરિચય
રખડતા ચિત્તે કરાતું પ્રતિકમણ એ દ્રવ્ય-પ્રતિકમણ છે, દ્રવ્ય–આવશ્યક છે.
(૪) ભાવનિક્ષેપ તે તે નામને અર્થ માને ભાવ વસ્તુની જે અવસ્થામાં બરાબર લાગુ થાય, તે અવસ્થામાં ભાવનિક્ષેપે વસ્તુ કહેવાય. દા. ત. સમવસરણ પર દેશના દેતા હોય, ત્યારે “તીર્થકર’ શબ્દને અર્થભાવ “તીર્થને કરનાર, દેશના આપી તીર્થને-શાસનને ચલાવનાર' એ લાગુ થાય છે. તેથી એ તીર્થકર ભાવ-નિક્ષેપ ગણાય. “સાધુતાના ગુણોવાળા સાધુ” “દેવસભામાં સિંહાસન પર ઐશ્વર્ય સમૃદ્ધિએ શોભતે ઈન્દ્ર”.. વગેરે ભાવ-નિક્ષેપે છે,
અહીં દ્રવ્ય-નિક્ષેપ, જેમ કારણભૂત વસ્તુમાં જાય છે, તેમ મુદ્દલ કારણભૂત નહિ કિન્તુ અંશે દેખાવમાં સમાન અને તે નામથી સંબેધાતી ગુણરહિત ભળતી વસ્તુમાં પણ જાય છે. દા. ત. અભવ્ય આચાર્ય એ પણ દ્રવ્ય-આચાર્ય છે. સવારે કરાતા દાતણપાણી સ્નાન એ પણ દ્રવ્ય-આવશ્યક છે. ચારે નિક્ષેપા એક જ વ્યક્તિમાં પણ ઘટી શકે છે. ત્યાં શબ્દાત્મક નામ એ નામ-નિક્ષેપ, આકૃતિ એ સ્થાપના-નિક્ષેપ કારણભૂત અવસ્થા એ દ્રવ્ય-નિક્ષેપ, અને તે નામની ભાવ-અવસ્થા એ ભાવ-નિક્ષેપ.
દરેક વસ્તુના જ નિક્ષેપ ( વિભાગ) તે પડે જ, પણ કેટલીક વસ્તુના વધારે પણ પડે છે. દા. ત. “લેકના ક્ષેત્રક, કાળક, ભવેલેક, વગેરે પણ નિક્ષેપ હોય છે. કહેવાય કે “જીવ અને જડ પદાર્થ લોકમાં રહે છે, અલેકમ નહિ, – ત્યાં લોક” એટલે ક્ષેત્રલેક. “જીવ અજ્ઞાનતાથી લાકમાં ખડે છે, ત્યાં લેક એટલે ભવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org