________________
નય અને નિક્ષેપ
૨૯૩
આકૃતિમાં, કે કારણભૂત દ્રવ્યમાં પણ થાય છે, અને રાજાપણાના ભાવમાં તે થાય જ છે. જેન શાસ્ત્રમાં એને નિક્ષેપ કહે છે, ન્યાસ કહે છે.
નિક્ષેપ એ વસ્તુના એક જાતના વિભાગ છે. દરેક વસ્તુના ઓછામાં ઓછા 8 નિક્ષેપ થાય ૪ વિભાગ પડે; જેમકે નામનિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ, અને ભાવનિક્ષેપ.
(૧) નામનિક્ષેપ એટલે ખાલી નામથી વસ્તુ, યા નામ, દા. ત. ઈદ્ર નામને છેકરે, યા ઈન્દ્ર એવું નામ. એમ જેનપણાના કેઈ પણ ગુણ વિનાને નામમાત્રથી જૈન યા જૈન” એવું નામ.
(૨) સ્થાપના નિક્ષેપ એટલે મૂળ વ્યક્તિની મૂર્તિ, ચિત્ર, ફેટે વગેરે, યા આકૃતિ, એ મૂર્તિ આદિમાં મૂળ વસ્તુની સ્થાપના” અર્થાત્ ધારણ કરવામાં આવે છે. ત્યાં દા. ત. મૂર્તિને ઉદ્દેશીને “આ મહાવીરસ્વામી છે,” એમ કહેવાય છે. નકશામાં “આ ભારત દેશ છે, આ અમેરિકા છે.” વગેરે કહેવાય છે.
(૩) દ્રવ્યનિક્ષેપ એટલે મૂળ વસ્તુની પૂર્વભૂમિકા, કારણ-અવસ્થા, કે ઉત્તર અવસ્થાની ઉપાદાન (આધાર) વસ્તુ, યા ચિત્તોપયોગ વિનાની ક્રિયા દા. ત. ભવિષ્યમાં રાજા થનાર રાજપુત્રને અવસરે રાજા કહેવાય એ દ્રવ્યરાજા છે. તીર્થકર થનાર આત્માને તીર્થકર થવા પૂર્વે પણ મેરુ પર તીર્થકરને અભિષેક થાય છે.' ઇત્યાદિ કહેવાય છે, અથવા સમવસરણ પર બેસી તીર્થ નથી પ્રવર્તાવી રહ્યા, કિંતુ વિહાર કરી રહ્યા છે, ત્યારે પણ એમને તીર્થકર તરીકે સંબોધવામાં આવે છે. તીર્થંકર-અવસ્થાની એ ઉપાદાન યા આધારભૂત વસ્તુ છે, એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org