________________
૩૩
ધ્યાન
ધ્યાન એટલે એક વિષય પર એકાગ્ર ચિત્તે ચિંતન તે બે પ્રકારે૧. શુભ ધ્યાન, અને ૨. અશુભ ધ્યાન. આમાં અશુભ ધ્યાન એ તપ નથી, કર્મનાશક નથી એ તે કર્મને આશ્રવ છે. શુભ ધ્યાન એ તપ છે. એ અપૂર્વ કર્મનાશ કરે છે. આવા ધ્યાનથી કર્મો ખૂબ વેગથી કપાય છે.
પ્રસંગવશાત અશુભ ધ્યાનની પણ વિચારણા કરીશું, જેથી એનાથી બચીએ તે શુભ ધ્યાન કરી શકાય; કેમકે મનમાં એક વખતે એક જ ધ્યાન રહે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ દુર્થોનમાં પડ્યા તે શુભ ધ્યાન ગયું, ને ૭ મી નરકનાં પાપ ભેગાં કરવા સુધી પહોંચેલા ! પણ પછી શુભ ધ્યાનથી એ રદ કરી ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી ગયા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org