________________
२४०
જૈન ધર્મને પરિચય
માનસિક ચિંતન યા અર્થ ઉપર ચિંતન કરવું, અને પ. ધર્મકથા=ાત્વિક ચર્ચા-વિચારણા, ઉપદેશ.
(૫) ધ્યાન એ આર્ત–રૌદ્ર-ધર્મ-શુકલ, એમ ચાર પ્રકારે છે. આનું વર્ણન હવે પછીના પ્રકરણમાં કરાશે.
(૬) કાત્સ–વ્યુત્સગ કાર્યોત્સર્ગ એ ઉત્કૃષ્ટ આભ્યન્તર તપ છે. એમાં અન્નત્થ સૂત્ર બેલી કાયાને સ્થાનથી, વાણુને મૌનથી અને મનને ચક્કસ કરેલા ધ્યાનથી સ્થિર કરવામાં આવે છે. આમાં અખંડ ધ્યાન તે છે જ, પરંતુ તે ઉપરાંત પ્રતિજ્ઞાપૂર્વક કાયા અને વાણીને ક્રિયા રહિત-સ્થિર કરવામાં આવે છે. એ એકલા ધ્યાન કરતાં વિશેષતા છે. એથી અંતરાયાદિ સર્વ પાપ કર્મોને અપૂર્વ ક્ષય થાય છે.
કાર્યોત્સર્ગ એ એક પ્રકારનો વ્યુત્સર્ગ (ત્યાગ) છે. વ્યુત્સર્ગ બે પ્રકારે- ૧. દ્રવ્યથી અને ૨. ભાવથી.
દ્રવ્યથી વ્યુત્સગ જ પ્રકારે– ૧. ગણત્યાગ વિશિષ્ટ રાન તપસ્યાદિ અર્થે આચાર્યની અનુજ્ઞાથી એક સમુદાય મૂકી બીજા ગ૭માં જવું તે; અથવા જિનકલ્પ આદિ સાધનાથે ગણને છોડી જવું તે. ૨. દેહત્યાગ કર્યોત્સર્ગ, અંતિમ પાપોપગમન અનશન, યા સજીવ-નિર્જીવને ગ્ય સ્થળે ત્યાગ ૩-૪ ઉપાધિ આહાર-ત્યાગદોષ કે અધિક વસ્ત્ર-પાત્ર તથા આહારને વિધિ મુજબ, નિજીવ એકાંત સ્થળે ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org