________________
જૈનધર્મની પ્રાચીનતાના પુરાવા એક
જૈન ધર્મ બીજા સર્વ ધર્મો કરતાં પ્રાચીન છે આ વાત વેદ-પુરાણ ઉપનિષદ અને ભારતીય તથા પાશ્ચાત્ય વિદ્વાનના મંતવ્યોથી સત્ય સાબિત થઈ ચુકી છે. “જૈન ધર્મ અને તેની પ્રાચીનતા” નામના પુસ્તકની પ્રસ્તાવનામાં પં. શ્રી અંબાલાલ લખે છે કે
બૌદ્ધધર્મ તે દેખીતી રીતે અઢી હજાર વર્ષ પહેલાં જ પ્રગટ થયો છે, એટલું જ નહિ, પણ ભગવાન બુધે જૈન સિદ્ધાંતને અનુભવ કર્યો હતે. જૈન સિદ્ધાતમાં બતાવેલી તપસ્યાની પરાકાષ્ઠામાંથી કંટાળીને જ તેમણે મધ્યમમાર્ગ પ્રચલિત કર્યો, તે જ બૌદ્ધધર્મરૂપે પ્રચલિત થયે એ હકીકત ઐતિહાસિક છે.
હિંદુ ધર્મના મુખ્ય એવા વેદ ગ્રંથની ભાષા અને અર્થ હજીય ગુઢ છે. ટીકાકારો ઘણી વખત પિતાને મનફાવતા અર્થો કરે છે, છતાં એમાં કેટલાંક સ્પષ્ટ નામ એવાં છે, કે જે જૈનધર્મના તીર્થકરેના નામનું સૂચન કરે છે. એ જ પરંપરા “શ્રીમદ્ ભગવત'માં સ્પષ્ટ રૂપે દેખા દે છે. શ્રીમદ્ ભાગવતકારે શ્રી કષભદેવનું ચરિત્ર ઘણું સ્પષ્ટ કરવાને પ્રયત્ન કર્યો છે, અને એવા મહાપુરુષને હિંદુધર્મના ૨૪ અવતારમાં પણ સ્થાન આપ્યું છે. આ ઉપરથી જૈન ધર્મની પ્રાચીન પરંપરાને સ્પષ્ટ ખ્યાલ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org