________________
૨૯૭
(૮) કરણ– પછી જે અનુષ્ઠાન વિધિપૂર્વક કરવાનું મૃતમાં કહ્યું હોય તે પ્રમાણે કરવું. માત્ર જાણીને નિક્રિય થઈને બેસી રહેવાનું નહીં. પણ યથાશક્તિ શુભક્રિયા કરવાની. અથવા ગુરૂની જેમ સૂત્રના અર્થની વ્યાખ્યા કરવી તે.
પ્ર. જ્ઞાન અને અજ્ઞાન પ્રત્યેક સમકાલે જ થાય છે. તેના ક્ષપશમને લાભ યુગપલ્ (એક સાથે) આગમમાં કહ્યો છે. માટે મતિશ્રત એક સાથે જ ઉત્પન્ન થતાં હોવાથી પૂર્વ પશ્ચાભાવ કેમ ઘટી શકે? અર્થાત્ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન કેમ ઘટી શકે ?
જ આગમમાં મતિવૃત બે પ્રકારનું કહ્યું છેઃ- (૧) લબ્ધિથી (૨) ઉપગથી તેથી લબ્ધિથી (તાવરણ ક્ષપશમરૂપ લબ્ધિ) મતિશ્રુત સમકાળે થાય છે, પણ ઉપયોગ નહીં, ઉપગમાં તો પ્રથમ મતિ પ્રવર્તે પછી શ્રુતમાટે તે મતિપૂર્વક શ્રુતની ઉત્પતિ હી છે. માટે ઉપયોગની અપેક્ષાએ કેવળજ્ઞાન અને કેવળદર્શનની જેમ ક્રમથીજ મતિકૃતને ઉપગ હોય, પણ સમકાલે ન હોય.
પ્ર. શું મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન ન હોય?
જ. ના, મતિજ્ઞાન એ તે શ્રુતને જન્મ આપનાર જનેતા છે, શ્રતનું પાલનપોષણ-રક્ષણ પણ મતિથીજ થાય છે. માટે મતિજ્ઞાન વગર શ્રુતજ્ઞાન ન હોય. હંમેશાં કારણ પૂર્વકજ કાર્યની ઉત્પત્તિ હાય. અહિં મતિ કારણ છે અને શ્રુત એનું કાર્ય છે. કારણ હંમેશા કાર્યની પૂર્વે જ હોય.
ક અનુપ્રેક્ષાંતિથી શ્રુતર્યાય વધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org