________________
૨૯૧
પ્ર. ધારણું એટલે શું?
જ. ભૂલાય નહીં એવી રીતે વસ્તુને દઢપણે મનમાં ધારી રાખવી તે. સતત ઉપગ રહે છે. દા.ત. આવા સ્પર્શ વાળી વસ્તુ દેરડું જ હોય, સાપ નહીં.
પ્ર. અવગ્રહના કેટલા ભેદ છે? જ. બે ભેદ છે – (૧) વ્યંજનાવગ્રહ (૨) અર્થાવગ્રહ પ્ર. વ્યંજનાવગ્રહ કોને કહે છે ?
' જ. વ્યંજન+અવગ્રહ=વ્યંજનાવગ્રહ. ઉપકરણઈન્દ્રિય અને શબ્દાદિપરિણત (શબ્દરૂપે પરિણમેલા) દ્રવ્યોને પરસ્પર સંબંધ થવો તેને વ્યંજનાવગ્રહ કહે છે. “ટકા-ઝારસિયતે अर्थो येन तद् व्यंजनम् यथा दीपेन घटः' .
અર્થ:- જેનાથી પદાર્થ પ્રગટ કરાય તે વ્યંજન, જેમ દીપકથી ઘડે પ્રગટ કરાય છે તેમ.
આ વ્યંજનાવગ્રહ અસંખેય સમયને છે, પ્રત્યેક સમયમાં થેડી થોડી જ્ઞાનમાત્રા આવિર્ભત થતી હોય છે, પણ વ્ય
ક્ત દેખાતી નથી, પણ વ્યંજનાવગ્રહ પછી તુરતજ અર્થાવગ્રહ થતો હોવાથી વ્યંજનાવગ્રહ પણ જ્ઞાન કહેવાય, અર્થાવગ્રહનું અસાધારણ કારણ વ્યંજનાવગ્રહ છે. આ વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મનને ન હોય. કારણ કે રાક્ષુ અને મને અપ્રાકારી છે, જ્યારે વ્યંજનાવગ્રહ એ પ્રાગ્યકારી છે. ઉપકરણઇનિદ્રા અને શબ્દાદિરૂપે પરિણમેલા યુગલોનો ગાઢ સંબંધ થાય ત્યારેજ: . વ્યંજનાવગ્રહ કહેવાય. જ્યારે મનને અને ચક્ષુને ગ્રહણ કરવા એગ્ય પદાર્થોને મન અને રાક્ષ સાથે ગાઢ સંબંધમાં આવવાનું હોતું નથી એથી રહ્યું અને મનનો વ્યંજનાવગ્રહ ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org