________________
૨૭૫
જેમ હજારે નદીઓના પાણીથી સમુદ્ર તૃપ્ત ન થાય, હજાર મણ લાકડાંથી અગ્નિ શાંત ન થાય, તેમ લાખે ગમે તેટલા વિષયે મેળવ્યા, ભેગવ્યા છતાં પણ જીવને તૃપ્તિ-સંતેષ થતો નથી. નિત્ય ગમે તેવા નવા નવા વિષયો ઇન્દ્રિયને ભેગવવા આપવા છતાં તે કદાપી તેની માગણી પૂરી કરતી નથી. તે માગ્યા કરે અને તમે આખ્યા કરો તે અનંત કાળે પણ તેની કારમી ભૂખ સંતોષાવાની નથી. અને તેને ખૂશ કરવા પાછળ–તૃપ્ત કરવા પાછળ જે કંઈ હિંસાદિ પાપરાગ-દ્વેષના પાપે કર્યા તેના કડવાં ફળ તે તમારે દુર્ગતિમાં અવશ્ય જોગવવાં જ પડશે.
“મારે ક્ષણિક વિષમય, પરાધીન, વિષયસુખ ન જોઈએ મારે તે સહજ, સ્વાધીન આત્મિક સુખ જોઈએ એવા નિર્ધાર વાળે મનુષ્યજ દુર્જય ઇન્દ્રિયને વશ કરી ભવસાગર તરી શકે છે. બાકી એક બાજુ રેજને રોજ નવા નવા વિષયસુખ ભોગવતા રહેવું, એનજ આનંદ લૂંટતા રહેવું અને મોક્ષની, આત્મકલ્યાણની વાતો કરવી છે તે તો ભસવું ને લોટ ફાકવા જેવી બેહુદી વાત છે.
મનની રાંચળતા પણ ત્યાંસુધી છે કે જ્યાં સુધી જીવ વિષયી છે, વિષયલોલુપી છે. મનની રરળતા એ ભયંકર રોગ છે, તે વિષયલગની અને વિષયભોગ એ તે રોગની વૃદ્ધિ કરનારૂં કુપથ્ય છે. રોગી જ્યાંસુધી કુપચ્ચનો ત્યાગ ન કરે ત્યાંસુધી રોગ પણ મટે કેવી રીતે ? મનની ચંપાળતાજ સાચા સુખને અનુભવ થવા દેતી નથી. સરવર શાંત હોય તો પોતાનું પ્રતિબિંબ દેખાય તેમ મનરૂપી સરોવર શાંત હાય, સંકલ્પ-વિકલ્પરૂપી તરંગોથી રહિત હોય તો આત્માનું પ્રતિબિંબ જોવા મળે છે–આત્મસ્વરૂપનું દર્શન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org