________________
ચાર ગુણઠાણું ચારિત્ર મેહનીયના ઉપશમ કે ક્ષયને આભારી છે. ૧૧ મું માત્ર ચારિત્ર મેહનીયના સર્વથા ઉપશમને આશ્રયી છે. ૧૩–૧૪મું ગુણઠાણું ખાસ યોગ સહિત અને ચોગ રહિત અવસ્થાને આભારી છે.
૧ લા ગુણઠાણાથી આત્મા સીધે ૩ જે, ચોથે, અમે, ૬ ઠું, ૭ મે ગુણઠાણે પણ જઈ શકે છે. ૧ લાથી બીજે (૨ જે) ન જ જાય. ૨ જાથી અવશ્ય પહેલે જ જાય. ઉપર નજ જઈ શકે. ૩ જાથી ૪ થે અને પડે તો ૧ લે ગુણઠાણે જાય. ૪ થાથી રાડતાં ૫, ૬, ૭ મે. જાય. પડે તે ૩–ર–૧ લે જાય. ૫ માંથી ચડતાં ૬–૭ મે જાય પડે તો ૪, ૩, ૨, ૧ લે જાય. ૬ ઠ્ઠાથી ચડતાં ૭ મે જાય. પડે તે ૫, ૪, ૩, ૨, ૧ લે જઈ શકે. ૭ માથી ૧૦ મા ગુણઠાણાવાળા ચડે તે ક્રમશઃ અને પડે તો પણ કમશઃ ૧૧ માવાળે ઉપર ૧૨ મે ન જ જઈ શકે. અને અવશ્ય યડી નીચા ગુણઠાણે જાય.
આત્મા ઉપશમશ્રેણીમાં જે કાળ કરે તે દેવલોકમાં નિયમ અહમિદ્ર બને. ક્ષપકશ્રેણવાળે આત્મા ૮, ૯, ૧૦, ૧૨ મે ક્રમશઃ જાય. ૧૩ માવાળે અવશ્ય ૧૪ મા ગુણઠાણે જ જાય. ૧૨ માં ગુણઠાણે ક્ષીણમેહી વીતરાગી બન્યા પછી નીચે પડવાના કારણુના અભાવે પડવાનું હોય જ નહિ. .
મરીને પરભવમાં જતાં જીવની સાથે માત્ર ૧-૨-૪ એ ત્રણ ગુણઠાણામાંથી ગમે તે એક હાય. બીજું ન જ હોય. ૩–૧૨–૧૩ મે ગુણઠાણે કેઈપણ મરે નહિં. ત્રીજા ગુણઠાણે આયુષ્ય પણ બાંધે નહિં .
આ ઉપશમશ્રેણું જીવ એક ભવમાં એકવાર અને આખા સંસારકાળમાં ૫ (પાંચ) વાર પ્રાપ્ત કરી શકે જ્યારે ક્ષક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org