________________
બે બદામની થઈ ગઈ. જો મોક્ષ પણ સ્થાયી તત્ત્વ ન હોય તો આટલો પ્રચંડ પુરુષાર્થ કોણ કરે ? મોક્ષ અંગે બીજી પણ એ વાત સમજી લેવા જેવી છે કે તે કેવળ નિષેધાત્મક અવસ્થા નથી. અનાદિકાળથી કર્મના બંધનમાં પડેલો જીવ મુક્ત થતાં પોતાના અનંત આનંદમય સ્વભાવમાં સ્થિત થઈ જાય છે. પછી ત્યાં વિલસે છે કેવળ અસ્તિત્વનો આનંદ. મોક્ષનું વર્ણન શબ્દાતીત છે તેથી આપણે તો તેનો ઉલ્લેખ કરીને જ વિરમવું પડે. પણ એ વાત નિશ્ચિત છે કે તે પરમની પ્રાપ્તિ છે માટે તો મોક્ષમાં અવસ્થિત થયેલા આત્માઓને પરમાત્મા કહે છે. સિદ્ધ આત્મા. સિદ્ધાત્મા એટલે એવા આત્માઓ કે જેમણે બધું જ સિદ્ધ કરી લીધું. અહીં આત્માઓ શબ્દ બહુવચનમાં વાપર્યો છે તે સકારણ છે કારણ કે જૈન મત પ્રમાણે પરમાત્મા કોઈ વ્યક્તિવિશેષ નથી અને કોઈ એક પણ નથી. પરમાત્માઓ અનંત છે. પ્રત્યેક જીવની ક્ષમતા પરમાત્મા થવાની છે અને અંનતા આત્માઓએ અત્યારસુધીમાં મોક્ષ સિદ્ધ કર્યો છે. આ પ્રવાહ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે.
આ છે નવ તત્ત્વનું જ્ઞાન-વિજ્ઞાન જેમાં આત્માની પરમાત્મા સુધીની ઉત્ક્રાન્તિનાં રહસ્યો રહેલાં છે.
આત્માથી પરમાત્મા
જૈ.હા.-૪
Jain Education International
For Private & Personal Use Only
૪૯
www.jainelibrary.org