________________
અપેક્ષાએ- Inrelation to અથવા તો અમુક સંદર્ભમાં એવો અર્થ થાય. પણ તેથી કોઈ રખે એમ માની લે કે આ વાતમાં કંઈ સંદેહ છે. એમાં સંદેહ કે શંકાની વાત નથી પણ અમુક અપેક્ષા અને સંદર્ભની વાત છે અને તે અપેક્ષાએ તો તે વાત ખરી જ છે. તેથી તેના માટે “કથંચિત એવ” એમ શબ્દો વપરાય છે જે નિશ્ચિતતાના સૂચક છે. તેથી જો સત્ય વિશે ખરેખર કંઈ કહેવું હોય તો પોતાના કથનની સાથે એમ કહેવું જોઈએ કે યાત્ કથંચિત એવ” એટલે કે એ સંદર્ભમાં તે વાત આમ જ છે. ભલે વ્યવહારમાં તેમન બોલીએ પણ તે રીતે સમજવું તો જોઈએ. આમ કહેવામાં આપણે એ વાતનો સ્વીકાર કરી લીધો કે બીજા કોઈ સંદર્ભમાં કે બીજી કોઈ અપેક્ષાએ આ વાત અન્ય રીતે પણ હોઈ શકે.
આમ ચાવાદ કે સાત્ શબ્દ શંકાનો સૂચક નથી પણ અપેક્ષાનો વાચક છે. આ રીતે વસ્તુનો વિચાર કરવાની શૈલીને સ્યાદ્વાદ કહે છે કારણ કે તેમાં “ચા” શબ્દ મહત્ત્વનો છે. પછી ભલે આપણે તે બોલીએ કે ન બોલીએ પણ તે અધ્યાહાર તો રહે છે જ. જરા વિચાર કરીશું તો અવશ્ય લાગશે કે આપણે જે કંઈ વિચારીએ છીએ કે બોલીએ છીએ તે અમુક સંદર્ભમાં જ હોય છે પણ આપણે તે માટે સભાન નથી હોતા. પરિણામે આપણે આપણી જ વાતને કે વિચારને સત્ય ગણીને બીજા બધાને અસત્ય કે ખોટા ગણીએ છીએ. બસ, અહીં જતો બધી મુશ્કેલીઓ કે ગેરસમજ ઊભી થઈ જાય છે. સ્વાદ્વાદની શૈલીથી જે પરિચિત હોય તે પોતાની જ વાતને સત્ય માનવાની કે અન્યને ખોટા માનવાની ક્યારેય ભૂલ નહિ કરે.
સાથે સાથે એ પણ સ્પષ્ટ કરી લઉં કે સ્યાદ્વાદ એ સમાધાન ૧૫૬
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org