SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ થતો કે નથી તે મૃત્યુ પામતો. પણ પર્યાય રૂપે એટલે કે શરીર રૂપે તે પળે પળે બદલાયા કરે છે. તેનું એક રૂપ નષ્ટ થાય છે અને બીજું ઉત્પન્ન થાય છે તેથી તે અનિત્ય છે. આમ જૈન ધર્મે આત્માને નિત્યાનિત્ય એટલે કે દ્રવ્ય રૂપે નિત્ય અને પર્યાય રૂપે અનિત્ય કહ્યો. આમ મહાવીરનું દર્શન સત્યને પામવા સ્યાદ્વાદનો સહારો લે છે. તેથી જૈન ધર્મને ક્યાંય વિરોધ નથી લાગતો. તે પોતાનામાં બધા વિરોધોને સમાવી લે છે. ભગવાને ગણધરોની શંકાનું સમાધાન કરતાં વેદોની વાતને ખોટી નથી કહી પણ તેની ઋચાઓનો અપેક્ષાઓથી અર્થ કરી બતાવ્યો છે જેનાથી ગણધરોનાં મનનું સમાધાન થઈ ગયું - તે વાત ખૂબ સૂચક છે. આટલી ચર્ચાના પરિપ્રેક્ષ્યમાં હવે આપણે અનેકાંત અને યાદ્વાદ બન્ને વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે સમજી શકીશું. આમ તો બન્ને ઘણા નજીક છે. એક સાપ્ય છે તો બીજો સાધન છે પણ સ્પષ્ટતાપૂર્વકની સમજણ ન હોવાને કારણે ઘણાં વિદ્વાનો પણ બન્ને શબ્દો સાથે ઘણી છૂટછાટ લઈ લે છે ત્યાં સામાન્ય માણસનું તો શું કહેવું? સત્ય વિરાટ છે, બહુઆયામી છે તે વાતનો સ્વીકાર થઈ ગયા પછી આપણે ક્યારેય એમ ન કહી શકીએ કે આ જ સત્ય છે. તેથી જો આપણે સચોટ કે યથાર્થ સંભાષણ કરવું હોય તો તેમ કહેવું પડે કે હું જે કંઈ કહું છું તે વાત મારી રીતે ખરી છે. મને જે માહિતી છે, હું જે રીતે વિચારું છું તે રીતે મારી વાત આમ છે. ભલે વ્યવહારમાં આપણે આમ ન બોલીએ પણ આપણા દરેક વક્તવ્ય કે વિચાર પાછળ આ વાત કે શરત રહેલી છે તે ભુલાવું ન જોઈએ. સત્ય વિશે વિચાર કરવાની, કહેવાની આ રીતને સ્યાદ્વાદ કહે છે. કારણ કે તેમાં ‘સ્યાત્’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સ્યાત્ એટલે અનેકાંતવિજ્ઞાન ૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy